નવીદિલ્હી
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબ્લ્યુએફઆઇ)ના પ્રમુખ બ્રિજ ભૂષણ વિરુદ્ધ હડતાળ પર ઉતરેલા કુસ્તીબાજાેએ દિલ્હીના જંતર-મંતર પર તેમનો વિરોધ ચાલુ રાખ્યો છે. તેમણે દિલ્હી પોલીસની સુરક્ષા પરત કરી દીધી છે. બીજી તરફ ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા બુધવારે જંતર-મંતર પહોંચ્યા હતા. અહીં તેમણે ધરણા પર બેઠેલા કુસ્તીબાજાે વિનેશ ફોગટ, સાક્ષી મલિક અને અન્ય કુસ્તીબાજાે સાથે વાત કરી. તાજેતરમાં, તેમણે ધરણાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેનાથી દેશની છબી ખરાબ થઈ રહી છે. જવાબમાં કુસ્તીબાજાેએ કહ્યું હતું કે તેમની પાસેથી આવા નિવેદનની અપેક્ષા નહોતી. અગાઉ વિનેશ ફોગાટે કહ્યું હતું કે અમે કેન્દ્રીય રમતગમત મંત્રી (અનુરાગ ઠાકુર) સાથે વાત કર્યા બાદ અમારી હડતાળ ખતમ કરી દીધી હતી અને તમામ ખેલાડીઓએ તેમને જાતીય સતામણી વિશે જણાવ્યું હતું. તેઓએ એક સમિતિ બનાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વિનેશે ખુલાસો કર્યો હતો કે જંતર-મંતર પર ધરણાના ત્રણ-ચાર મહિના પહેલાં અમે એક અધિકારીને મળ્યા હતા, અમે તેમને મહિલા એથ્લેટની જાતીય સતામણી અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે તે વિશે બધું જ કહ્યું હતું. તે પછી પણ કોઈ કાર્યવાહી ન થતાં અમે ધરણા પર બેસી ગયા. લાંબા સમયથી પોતાની સત્તા અને પદનો દુરુપયોગ કરનાર શક્તિશાળી વ્યક્તિ સામે ઊભા રહેવું મુશ્કેલ છે.બીજી તરફ બીજેપી સાંસદ મેનકા ગાંધીએ કુસ્તીબાજાેની માગનું સમર્થન કર્યું છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે આ અફસોસની વાત છે, ભગવાન તેમને ન્યાય આપે. અહીં કુસ્તીબાજાેએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આપવામાં આવેલ પોલીસ પ્રોટેક્શન લેવાનો ઈન્કાર કરી દીધો છે. ખેલાડીઓએ કહ્યું કે જાે તેઓ જંતર-મંતર પર પણ સુરક્ષિત નથી તો તેઓ ક્યાંય પણ સુરક્ષિત નથી. તેઓ અહીં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે. તેના સમર્થનમાં દરરોજ લોકો અહીં આવતા-જતા રહે છે. પરંતુ, તેમને કોઈની સાથે કોઈ વાંધો નથી.બીજી તરફ રવિવારે વિદ્યાર્થીઓ સાથે ધરણા કરશે. બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓનો સહયોગ માગ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે સ્ડુડન્ટ્સ ફોર રેસલર્સ. આ સાથે, તેમણે તમામ વિદ્યાર્થીઓને બુધવારે, ૩ મે, બપોરે ૧૨ વાગ્યે દિલ્હી યુનિવર્સિટી ના નોર્થ કેમ્પસ આર્ટ ફેકલ્ટી ગેટ નંબર ૪ પર આવવા માટે કહ્યું હતુ અને. કુસ્તીબાજાે અને વિદ્યાર્થીઓએ અહીંથી પદયાત્રા કરી હતી બ્રિજભૂષણ શરણ સિંહે મંગળવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જે અધ્યક્ષના ઘરે તમે આવતાં હતાં, લગ્નમાં બોલાવતાં હતાં, હળતા-મળતાં રહેતાં હતાં. જાણે એક પરિવાર હોય. ત્યારે તમને કોઈ ગુપ્ત ફરિયાદ હતી નહીં. તમને બધી તકલીફ ત્યારે થઈ, જ્યારે હું એક પોલિસી લઇને આવ્યો.ઓલિમ્પિકમાં કોણ જશે, કોણ નહીં જાય, આ નિયમ બનાવું છું. ત્યારે તમને તકલીફ થાય છે. કુસ્તીમાં સામાન્ય પરિવારના બાળકો આવે છે. કોઈને કોઈ રીતે તેમના માતા-પિતા પોતાની જરૂરિયાત પર કાપ મુકીને તેમના માટે બદામ-ઘીની વ્યવસ્થા કરે છે.તેમને આશા છે કે દીકરો નેશનલ, ઇન્ટરનેશનલ રમશે. હું તમને કહેવા માગુ છું કે મોદીજી જેમની તેઓ આજે નિંદા કરી રહ્યા છે, યોગીજી જેમની તેઓ આજે નિંદા કરી રહ્યા છે, વિશ્વનો કોઈ દેશ ખેલાડીઓને એટલી સુવિધાઓ કે પૈસા નથી આપતો જેટલો આપણો દેશ આપે છે. ઘણા દેશો ઈચ્છે છે કે કાશ આપણને ભારત તરફથી તક મળે. તેમણે કહ્યું, “શરૂઆતમાં એવું લાગતું હતું કે આંદોલન મારા પૂરતું જ સીમિત હતું અને માત્ર મને જ દૂર કરવા માગે છે. હવે એવું લાગે છે કે આ આંદોલન શરૂઆતથી જ રાજકીય રીતે પ્રેરિત છે. હરિયાણા, રાજસ્થાન, લોકસભાની ચૂંટણી આવી રહી છે. તેનું કેવી રીતે વિભાજન કરવું આ અંગે સારી રીતે વિચારેલી વ્યૂહરચના છે.હવે તેની તસવીર ખુલ્લેઆમ સામે આવી છે. તેમના મંચ પર એવા તમામ તત્વો છે, જેઓ ઘણા દિવસોથી મોદીનો વિરોધ અને ભાજપનો વિરોધ કરવા માટે સક્રિય છે. જાે આ ખેલાડીઓના ધરણા હતા તો સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ આ ધરણા હટાવી લેવાયા હોત. તેઓ રાજીનામા પર અડગ નથી.મારો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. જ્યાં સુધી નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી હું સ્પીકર છું. બાદમાં એવી માગ ઉઠી હતી કે તેમણે સાંસદ પદેથી રાજીનામું આપી દેવું જાેઈએ, ભલે ગમે તે પદ હોય, તેમણે રાજીનામું આપવું જાેઈએ. જિલ્લા પ્રમુખ, રાજ્યોના પ્રમુખોનું પણ રાજીનામું જરૂરી છે.


