રક્તદાન આપવા તથા જરુરીયાત વાળા તમામ દર્દીઓને લાભ લેવા અનુરોધ.કરાયો
પ્રાચી તીર્થ.
પ્રાંચી તીર્થ ખાતે રક્તદાન નિદાન કેમ્પ તથા શ્રી સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ તથા હાર્ડ વૈદ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છેઅખિલ ભારતીય સાધુ સમાજ ના પ્રમુખ તેમજ અગ્નિ અખાડા ના સભાપતિ પરમ પૂજ્ય શ્રી મુકતાનંદબાપુનાં ૬૫ માં પ્રાગટ્ય દીવસ નિમિતે મેગા રક્તદાન કેમ્પ યોજાશે તથા શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના સેવાભાવી ડોક્ટરો તથા સ્ટાફ પોતાનું યોગદાન આપ છે તથા હાર્ડવૈદ કેમ્પ માં રવીભાઈ વેરાવળ વાળા તથા મિલનભાઈ ચોવટીયા પ્રાચી દ્વારા નિદાન, સારવાર કરવામાં આવશે અને દવા વિના મૂલ્યે આપવામાં આવશે આ વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ માં આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ બસમાં લઈ જઈ અત્યાધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરના સારામાં સારા સોફટ કોલ્ડેબલ લેન્સ નેત્ર મણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આવનાર દર્દીઓને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા-પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા મફત આપવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવા ની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે.