અહેવાલ : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ એસ.ટી ડેપો માં ફરજ બજાવતા કન્ડકટર રમેશભાઈ પી. ચાવડા એ પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ જેમાં વેરાવળ ડેપો દ્વારા સંચાલિત રાજકોટ – વેરાવળ રૂટ ની બસ માં મુસાફરી કરતા કર્ણાટક રાજ્યના મુસાફર શ્રી.. બી.એન.પાટીલ નું પર્સ જેમાં રૂપિયા ૬૩૩૦ જેવી રકમ અને અગત્ય ના ડોક્યુમેન્ટ હોય જે મળી આવતા વેરાવળ ડેેપો મેનેજર દીલીપ ભાઈ શામળા એ.ટી આઈ ડી આર મેસવાણીયા તેમજ ભગવાન ભાઈ ભોળાં ને જાણ કરી જેેમાં ડેપો મેનેજર અને એ.ટી આઈ ભગવાન ભાઈ ભોળાં
દ્વારા
મુસાફર નો સંપર્ક કરી રૂબરૂ બોલાવી ખરાઈ કરી ને વેરાવળ ડેપો મેનેજર દીલીપ ભાઈ શામળા ના માર્ગ દર્શન સાથે એ.ટી આઈ ભગવાન ભાઈ ભોળાં કન્ડક્ટર રમેશભાઈ ચાવડા અને એ.ટી આઈ ભગવાન ભાઈ ભોળાં દ્વારા મુસાફર ને પરત કરેલ અને મુસાફર દ્વારા એસ.ટી. નિગમ જુનાગઢ વિભાગ અને વેરાવળ ડેપો ના કંડકટર રમેશ ભાઈ ચાવડા ની ફરજ અને પ્રમાણિકતા ને બીરદાવેલ હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


