જૂનાગઢ જવાહર નવોદય વિધાલય માં ધોરણ ૬ માં પ્રવેશ માટેના ઓનલાઈન ફોર્મ તા.૧૦/૮/૨૦૨૩ સુધી ભરી શકાશે. જૂનાગઢ જવાહર નવોદય વિદ્યાલય ધોરણ ૬ માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા આગામી તારીખ ૨૦/૧/૨૦૨૪ ના રોજ યોજાનાર છે.
આ ફોર્મ ભરવા ઈચ્છુક ઉમેદવારો જેઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ – ૨૪ માં જૂનાગઢ જિલ્લામાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા હોય તેમજ જૂનાગઢ જિલ્લાના બોનાફાઇડ રહેવાસી હોય અને જન્મ તારીખ ૧/૫/૨૦૧૨ થી તારીખ ૩૧/૭/૨૧૦૧૪ દરમિયાનની હોય તો તેઓ આ ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
આ ફોર્મ https://navodaya.gov.in વેબસાઈટ પર લિંક કરેલ એડમિશન પોર્ટલ પર અથવા https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઈટ પરથી ભરી શકાશે.
આ ફોર્મ ભરવા માટે ૧૦ કેબી થી ૧૦૦ કેબી ની સાઈઝમાં ઉમેદવાર નો ફોટોગ્રાફ, ઉમેદવારની સહી, પિતા/ માતા/ વાલીની સહી, ઉમેદવાર/તેના માતા-પિતા વાલીની સહી અને શાળા આચાર્યના સહી સિક્કા સાથે ભરાયેલ JNVST 2024 સર્ટિફિકેટ, માતા/પિતાનું આધાર કાર્ડ અથવા જૂનાગઢ જિલ્લાનું રહેઠાણ અંગેનું પ્રમાણપત્રને JPG/JPEG ફાઈલ ફોર્મેટમાં સ્કેન કરેલા હોવા જોઈએ કે જે ફોર્મ ભરવાના સમયે અપલોડ કરવાના રહેશે. આ ફોર્મ ભરવા ઈચ્છુક એવા ઓબીસી (કેન્દ્ર સરકારની યાદી મુજબ) એસ.સી, એસટી ઉમેદવારોએ ઓબીસી નોન ક્રિમિલર, એસ.સી.,એસ.ટી સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે.
