માંગરોળ ખાતે પોલીસ વિભાગ અને પ્રજાજનો દ્વારા તિરંગા યાત્રા નિકાળવામાં આવી, પ્રથમ નવ યુક્ત જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ શહિદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, પ્રથમ વખત માંગરોળ આવેલ પોલીસ વડાને અગ્રણીઓ દ્રારા સ્વાગત કરાયું હતું,આ તિરંગા યાત્રામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો અને વિવિઘ સંસ્થાના કાર્યકરો વિધાર્થીઓ અને શહેરીજનો ઉત્સાહ ભેર મોટી સંખ્યામાં જોડાયા હતા, આ પ્રસંગે દેશ ભક્તિના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, આ યાત્રા ચોપાટી શહિદ સ્મારક થી શરુ થય નવી ગોદીએ પુર્ણ કરવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રમેશભાઈ જોષી એ સુંદર રીતે કર્યું હતું,,,,
વિનુભાઈ મેસવાણીયા માંગરોલ,


