ભારતીય જવાનો આતંકવાદીઓ આપી રહ્યા છે જડબાતોડ જવાબ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સતત ચોથા દિવસે આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે. ભારતીય જવાનો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. કોકરનાગના જંગલમાં છુપાયેલા આતંકવાદીઓ પર હુમલો કરવા માટે ડ્રોન અને રોકેટ લોન્ચરથી બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા દળોએ ૩ થી ૪ આતંકીઓને ઘેરી લીધા છે. ત્રણ દિવસ પહેલા આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા, જેમાં આર્મી કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટનો સમાવેશ થાય છે. ભારતીય સેનાની કાર્યવાહીથી બચવા માટે આતંકીઓ ભાગતા જાેવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ તેમના છૂપા ઠેકાણા જમીનની નીચે બનાવી લીધા હતા. ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા શોધી કાઢ્યા અને તેમના પર હુમલો કરીને તેમને નષ્ટ કરી રહ્યા છે. આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યાં સુધી આતંકીઓનો સફાયો નહીં થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે. અનંતનાગના કોકરનાગ જંગલમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ભારતીય જવાનોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગાઢ જંગલને કારણે સૈનિકોને આતંકીઓ પર સચોટ હુમલો કરવામાં મુશ્કેલી પડી રહી છે. જાે કે તમામ આતંકીઓને શોધવા અને ખતમ કરવા માટે મોટા પાયા પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ ફોર્સથી લઈને પેરા કમાન્ડો આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે. એન્કાઉન્ટર વિશે માહિતી આપતાં અધિક પોલીસ મહાનિર્દેશક (કાશ્મીર) વિજય કુમારે કહ્યું કે ભારતીય સૈનિકોએ પણ ઓપરેશનમાં સફળતા મેળવી છે. એક્સ પર પોસ્ટ કરીને તેણે લખ્યું કે જંગલમાં છુપાયેલા બેથી ત્રણ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૨૦ પછી જમ્મુ-કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકી હુમલો છે. અગાઉ, ૩૦ માર્ચ ૨૦૨૦ ના રોજ કાશ્મીરમાં આતંકવાદી અથડામણ થઈ હતી જેમાં કુલ પાંચ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. અનંતનાગમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ભારતીય જવાનોએ ડ્રોન બોમ્બમારો કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક આતંકવાદીઓ કોકરનાગના જંગલમાં દોડતા જાેવા મળ્યા હતા. સતત ચોથા દિવસે આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાઢ જંગલોના કારણે સૈનિકોને આતંકીઓ પર સચોટ હુમલો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

