Gujarat

સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીમાં પ્રોફેસર અને એસો. પ્રોફેસરની ભરતી પ્રક્રિયાને લઈ વિવાદ

સૌરાષ્ટ્ર યુનિવિર્સિટી ફરી વિવાદમાં આવી છે. પ્રોફેસર અને એસો. પ્રોફેસરની ભરતી પ્રક્રિયાને લઈ વિવાદ સર્જાયો છે. ૨૦૧૯ માં જાહેરાત કરવામાં આવ્યા બાદ વર્ષ ૨૦૨૩માં ભરીત પ્રક્રિયા કરી હોવાનો આરોપ લાગ્યો છે. લખનૌના ડીન ડો. હરિશંકર સિંઘે આ અંગેનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. ડો. આંબેડરકર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીર છે, ડોક્ટર હરિશંકર સિંઘ. તેઓને ભરતી પ્રક્રિયામાં આવવા માટે કહેવામાં આવ્યુ હતુ, પરંતુ તેઓને બોલાવવામાં જ નહોતા આવ્યા. તેમજ ભરતી પ્રક્રિયામાં મેરિટ નહીં જળવાયુ હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

બોર્ડ કહે એમ જ પસંદગી કરવા માટેનો ડો. સિંઘે ઈનકાર કર્યો હતો. જાહેરાત બાદ એક જ વર્ષમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે પરંતુ આમ થયુ નથી. ડો સિંઘે ટીવી૯ સાથેની વાતચિતમાં કહ્યુ કે, હું લખનૌ ખાતે ડીન છું. મને ફોન દ્વારા સંદેશ આપ્યો હતો કે, આપ પસંદગીમાં આવશો. જાેકે મને આવો કોઈ પત્ર મળ્યો નથી. મને પૂછવામાં આવ્યુ હતુ કે, તમે ઉપસ્થિત રહશે. પરંતુ હું જ્યાં જઉ છું ત્યા મેરિટ આધારે પસંદગી કરુ છું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગણિત, એજ્યુકેશન અને હિન્દી ભવનમાં કર્યા હતા. ઈન્ટરવ્યુ. સરકારે નિયુક્ત કરેલ સિન્ડિકેટ સભ્યો ગેરહાજર રહ્યા હતા અને કોંગ્રેસ સભ્યો હાજર રહ્યા હતા. મોટાભાગની બેઠકો પર માત્ર એક જ ઉમેદવાર પસંદ કરવામાં આવ્યો હતો. બે સભ્યો આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. શ્રદ્ધા બારોટનો અનુભવ પૂરો થતો ના હોવાથી પણ કરાયો હતો વિરોધ. હિન્દી ભવનમાં પૂર્વ કુલપતિની ભત્રીજીની પસંદગી કરાતા વિવાદ થયો હતો.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *