Gujarat

યુરોપમાં ઈસ્લામને કોઈ સ્થાન નથી : ઈટાલી પીએમ જ્યોર્જિયા મેલોની

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઈસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં તેમણે કહ્યું છે કે, યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથી. યુરોપ અને ઇસ્લામની સંસ્કૃતિ એકબીજા સાથે બિલકુલ મેળ ખાતી નથી. યુરોપમાં ઇસ્લામના પ્રચાર-પ્રસારનું કામ ચાલી રહ્યું છે. વીડિયોમાં તેમણે સાઉદી અરેબિયાનું નામ લઈને કહ્યું કે આ દેશ ઈટાલીમાં ઈસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને ફંડ આપી રહ્યો છે. સાઉદીમાં શરિયા કાયદો લાગુ છે. તેમણે કહ્યું, શરિયા એટલે ધર્મત્યાગ અને સમલૈંગિકતા માટે મૃત્યુદંડ છે. એક રિપોર્ટ અનુસાર યુરોપમાં ૨.૬૦ કરોડથી વધુ મુસ્લિમો રહે છે.

યુરોપની વસ્તીના ૫ ટકાથી વધુ મુસ્લિમો છે. તેમાં સૌથી વધુ સંખ્યા ફ્રાન્સમાં છે. ખાસ વાત એ છે કે એવા ઘણા સર્વે રિપોર્ટ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૫૦ સુધીમાં તેમની વસ્તી ઝડપથી વધશે. અમેરિકન થિંક ટેન્ક પ્યુ રિસર્ચે તેમની વસ્તી વિશે એક અંદાજ આપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૩૦ સુધીમાં યુરોપની ૭.૫ ટકા વસ્તી મુસ્લિમ હશે. પ્યુ રિસર્ચ સેન્ટરનો રિપોર્ટ કહે છે કે ૨૦૨૩માં ફ્રાન્સમાં યુરોપમાં સૌથી વધુ મુસ્લિમોની વસ્તી ૫૭.૨ લાખ હશે.. વસ્તીના આંકડા પર નજર કરીએ તો ફ્રાન્સમાં સૌથી વધુ મુસ્લિમો છે. સમગ્ર યુરોપમાં સૌથી વધુ હિંસક રમખાણો બાદ મુસ્લિમો નિશાના પર રહ્યા છે. નાના રમખાણોની અવગણના કરવામાં આવે તો પણ નાહેલ એમના મૃત્યુના કિસ્સાને અવગણી શકાય નહીં.

આ વર્ષે જુલાઈમાં, પેરિસમાં અલ્જેરિયન મૂળના ૧૭ વર્ષીય કિશોર નાહેલ એમના મૃત્યુ પછી આખા દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો. ફ્રાન્સના ઘણા શહેરોમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હતી. આ પ્રદર્શન ગોરા વિરુદ્ધ આરબ મૂળના ફ્રેન્ચ લોકો વચ્ચે હતું. સ્થિતિ એવી બની કે ફ્રાન્સની સરકારે લગભગ ૪૫ હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવા પડ્યા. હિંસા એક અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહી. ૩ હજારથી વધુ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબત જેટલી ફ્રાન્સમાં ચર્ચાઈ હતી એટલી જ ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થઈ હતી.

મુસ્લિમ ઈમિગ્રન્ટ્‌સ સાથે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા હતા. યુરોપ છેલ્લા કેટલાક સમયથી ઈસ્લામિક આતંકવાદીઓના નિશાના પર છે. ખાસ કરીને ફ્રાન્સ. આમાંથી બોધપાઠ લઈને ઘણા યુરોપિયન દેશો મુસ્લિમોથી અંતર બનાવી રહ્યા છે. ઈટાલીના પીએમનું નિવેદન તેનું તાજેતરનું ઉદાહરણ છે. ફ્રાન્સમાં બનેલી ઘટના પછી ઘણા દેશોએ આ સમુદાયથી અંતર જાળવવાનું શરૂ કર્યું. પોલેન્ડે મુસ્લિમ શરણાર્થીઓને આશ્રય આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *