Gujarat

મોદી દુનિયામાં વપરાઈ ગયેલી ટેકનોલોજી ભારત લાવવા માંગે છે : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (ેંમ્‌) એ તેના મુખપત્ર સામના દ્વારા ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહને લોકશાહી, બંધારણ અને વ્યક્તિગત સ્વતંત્રતા પ્રત્યે કોઈ પ્રેમ નથી. વડાપ્રધાન કહે છે એક, પરંતુ કરે છે કંઈક બીજું. લોકો મૂર્ખ છે અને જેઓ મૂર્ખ નથી તેમને આપણે સરળતાથી મૂર્ખ બનાવી શકીએ છીએ એ તેમનો વિશ્વાસ છે. સામનામાં કહેવામાં આવ્યું છે કે મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં પોતાના સાંસદોને જ્ઞાન આપ્યું હતું. વિરોધ પક્ષો સંસદમાં ઘૂસણખોરીને સમર્થન આપી રહ્યા છે, આ યોગ્ય નથી. સંસદમાં ઘૂસણખોરીને કોઈએ સમર્થન ન આપવું જાેઈએ. વડાપ્રધાનનું આ નિવેદન એક રીતે રાજકીય મિમિક્રી છે.

સંસદમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. બેરોજગાર યુવાનોએ આ કર્યું. મતલબ કે જાે આતંકવાદીઓ ઇચ્છતા તો આ રીતે સંસદમાં ઘૂસીને આતંકવાદી હુમલો કરીને હોબાળો મચાવી શક્યા હોત. સામનામાં લખ્યું હતું કે સંસદમાં ઘૂસણખોરી કેમ અને કેવી રીતે થઈ? તેના માટે જવાબદાર કોણ? જાે વિપક્ષ ગૃહમાં આ પ્રશ્ન પૂછે તો તેઓએ શું ગુનો કર્યો છે? ગૃહમંત્રીએ બહાર ભાષણ આપવાને બદલે સંસદમાં આ મુદ્દે બોલવું જાેઈએ. સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને વડાપ્રધાન અને ગૃહમંત્રી ઘૂસણખોરીના ખુલાસા કરીને ફરતા હોય છે. આના પર સવાલ ઉઠાવનારા ૧૪૩ સાંસદોને સરકારે સસ્પેન્ડ કર્યા હતા. વડાપ્રધાન મોદી ફરી વિપક્ષ પર આક્ષેપ કરીને લોકશાહીની નકલ કરી રહ્યા છે. સંસદમાં ઘૂસણખોરી અંગે ચાર લીટીનું નિવેદન આપવાનું હતું,

પરંતુ તેના બદલે વિપક્ષને લોકસભા અને રાજ્યસભામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો અને લોકશાહીના સર્વોચ્ચ મંદિરને સરકાર દ્વારા શબઘરમાં ફેરવી દેવામાં આવ્યું.. આગળ લખવામાં આવ્યું કે ૨૨ જાન્યુઆરીએ વડાપ્રધાન ભવ્ય શ્રી રામ મંદિરનું ઉદ્‌ઘાટન કરવા અયોધ્યા જઈ રહ્યા છે, પરંતુ તેમણે લોકશાહીના મંદિરને સ્મશાન ગૃહમાં ફેરવી દીધું છે, આને શું કહીએ? શું તેમને રામ મંદિરના ઉદ્‌ઘાટનનો અધિકાર છે? મોદીનું કહેવું છે કે વિધાનસભા ચૂંટણી હારવાથી વિપક્ષ હેબતાઈ ગયો છે અને સંસદમાં ઘૂસણખોરીના મામલે રાજનીતિ કરી રહ્યો છે. મોદીના શબ્દોનો કોઈ અર્થ નથી. વિપક્ષ નિરાશ કે એવું કંઈ બન્યું નથી. ઈફસ્ છે તો મોદી છે, ચાર રાજ્યોના પરિણામોનો આ મતલબ છે. શિવસેના (યુબીટી) એ તેના મુખપત્રમાં કહ્યું કે વિપક્ષ હારથી નિરાશ નથી થયો પરંતુ ભાજપ અને તેના નેતાઓ જીતના નશામાં અને ઉત્સાહિત થઈ ગયા છે.

એ ઉન્માદમાં તેઓ સંસદ અને બંધારણના નિયમોને આગ ચાંપી રહ્યા છે, પરંતુ વિપક્ષ આ સંજાેગોમાં પણ લડી રહ્યો છે અને છાતી પર ઘા હોવા છતાં આગળ વધી રહ્યો છે. જાે મોદી ખરેખર લોકશાહીના ભક્ત હોય તો તેમણે ૨૦૨૪ની ચૂંટણીને મતપત્ર પર મૂકીને તેમના વિરોધીઓને હરાવવા જાેઈએ. મુખપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે વડા પ્રધાન મોદીએ ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂ સાથે ફોન પર ચર્ચા કરી હતી. બંનેએ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી. મોદીએ નેતન્યાહુ સાથે ત્યાંની ચૂંટણી વ્યવસ્થા પર ચર્ચા કરવી જાેઈએ. ભાજપને ઈવીએમ હેકિંગ, પેગાસસ વગેરેની ટેક્નોલોજી ઈઝરાયેલમાંથી મળી હોવા છતાં નેતન્યાહુના પોતાના દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય છે. ઈઝરાયેલના વિરોધ પક્ષોને ઈવીએમ પર વિશ્વાસ નથી. દુનિયાએ નકારેલી તમામ ટેક્નોલોજીઓને ભારતમાં લાવીને મોદી વિશ્વ ગુરુ વગેરે બનવા નીકળ્યા છે અને તેના પર સવાલો ઉઠાવવામાં આવે તો તેમની ધીરજ તૂટી જાય છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *