Gujarat

ર્નિમલા સીતારમણે વચગાળાનું બજેટમાં ખેડૂતો માટે જાહેરાત કરી

ર્નિમલા સીતારમણે પોતાના સંબોધન દરમિયાન ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી હતી કે ખેડૂતો હવે તમામ પાકમાં નેનો ડીએપીનો ઉપયોગ કરી શકશે. તમને જણાવી દઈએ કે આ પહેલા સરકારે ખેડૂતોને નેનો યુરિયાની ભેટ આપી હતી. તે જ સમયે, માછલી ઉછેર કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે ઁસ્ મત્સ્ય સંપદા યોજનાને વિસ્તારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ દરમિયાન નાણામંત્રીએ દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી છે. ખેડૂતોને સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ૪ કરોડ ખેડૂતોને PMપાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. PM કિસાન યોજનાથી ૧૧.૮ કરોડ લોકોને આર્થિક મદદ મળી છે.

નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ ૧૧.૮ કરોડ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) એ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડ્ઢમ્‌) યોજનાઓમાંની એક છે. પીએમ-કિસાન યોજના હેઠળ, સરકાર ત્રણ સમાન માસિક હપ્તામાં દર વર્ષે ૬,૦૦૦ રૂપિયાનો નાણાકીય લાભ પ્રદાન કરે છે. આ પૈસા ‘ડ્ઢમ્‌’ દ્વારા દેશભરના ખેડૂત પરિવારોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ફેબ્રુઆરી ૨૦૧૯માં વચગાળાના બજેટમાં આની જાહેરાત કરવામાં આવી હતી.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *