Gujarat

પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા હિંસા ફાટી, કરાચીમાં ચાલી રહેલ અથડામણમાં એકનું મોત

પાકિસ્તાનમાં ૮મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. પડોશી દેશના લોકો તેમના વઝીર-એ-આઝમને ચૂંટવા જઈ રહ્યા છે. પરંતુ પાકિસ્તાનમાં રાજકારણની રમત હંમેશા લોહિયાળ રહી છે. અહીંનો રાજકીય ઈતિહાસ લોહિયાળ છે અને ફરી એકવાર પડોશી દેશમાં આગામી ચૂંટણી પહેલા સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં છેલ્લા કેટલાક દિવસોમાં ચૂંટણી હિંસામાં નોંધપાત્ર વધારો થયો છે. સોમવારે નાઝીમનાદમાં હિંસક અથડામણ થઈ હતી જેમાં એક કાર્યકર્તાનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.

પાકિસ્તાનના કરાચી શહેરમાં આગામી ચૂંટણી પહેલા હિંસામાં નોંધપાત્ર વધારો થયો છે. સોમવારે નાઝીમનાદમાં હિંસક અથડામણ દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી એટલે કે ઁઁઁના કાર્યકરો સાથે ગોળીબારમાં મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ  પાકિસ્તાનનો એક કાર્યકર માર્યો ગયો હતો અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે એકબીજાને હરાવવાનો પ્રયાસ કરી રહેલા પક્ષો વચ્ચે ભૂતકાળમાં ઘણી અથડામણો થઈ ચૂકી છે. અહેવાલો અનુસાર, સંસદ અને વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહેલા રાજકીય પક્ષોના કાર્યકરો તેમના હરીફોને હરાવવા માટે હિંસાનો માર્ગ પસંદ કરી રહ્યા છે.

નાઝીમાનદ ઘટનાના એક દિવસ પહેલા રવિવારે ક્લિફ્ટન વિસ્તારમાં પોલીસ દ્વારા લાઠીચાર્જના સમાચાર સામે આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના સમર્થકો સામે પણ પોલીસે બળપ્રયોગ કર્યો હતો. માત્ર એક દિવસ પછી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટનો એક કાર્યકર નાઝીમાનદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કાર્યકરો સાથે ગોળીબાર દરમિયાન માર્યો ગયો. આ હિંસક અથડામણમાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે.

સિંધ અને કરાચીને ગઢ માનવામાં આવે છે. આમ છતાં વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં પરિસ્થિતિ બદલાવાની તમામ શક્યતાઓ છે. કારણ કે નવાઝની પાર્ટી સિવાય અન્ય ઘણી પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો કરાચીમાં પોતાનો દબદબો બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં કોર્ટમાં નિયંત્રણ મેળવવા માટે હિંસા શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવી રહી છે. છેલ્લા અઠવાડિયાથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. પ્રચાર દરમિયાન ઘણા વિસ્તારોમાં ઁઁઁ, ઁ્‌ૈં અને સ્ઊસ્-ઁના સમર્થકો વચ્ચે ઘર્ષણના અહેવાલો સામે આવ્યા છે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *