Gujarat

બુધવારે પૃથ્વી પર દિવસ અને રાત બન્ને સરખા રહ્યા

બ્રહ્માંડમાં બુધવારે વધુ એક ખગોળીય ઘટના સર્જાઈ હતી . 20 મી માર્ચ એટલે કે પૃથ્વી પર સમગ્ર વર્ષ નો મિડલ દિવસ છે. આજે દિવસ અને રાત બન્ને એક સરખા જ થાય છે.

જેમાં અડધો દિવસ સૂર્યપ્રકાશ રહે છે, જ્યારે અડધો દિવસ ચંદ્રની રોશની રહે છે. આ દિવસ પછી પ્રતિદિન દિવસ લાંબો અને રાત ટુંકી થતી જાય છે. આ દિવસ થી સૂર્ય વિષુવવૃત ને છેદવાનું શરુ કરે છે.

પૃથ્વી સૂર્ય ની આસપાસ સીધી નહીં પણ 23.5 અંશ નમેલી રહીને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતી હોવાથી આપણો દેશ અને અન્ય રાષ્ટ્રો ઉત્તર ગોળાધઁ માં આવેલા છે, અને તેથી સૂર્ય ના કિરણો ત્યાં સીધા પડવાથી હવે પછીના દિવસોથી ગરમીમાં પણ વધારો થશે.

મહા સમપૃકાશીય દિવસ હોય પૃથ્વીના બન્ને ગોંળાઘઁ માં સૂર્ય પ્રકાશ સમાન પડશે, અને દિવસ તેમજ રાત સરખા હશે. આ દિવસે સૂર્ય પૂર્વ ક્ષિતિજ ઉપર ઉગે છે.

તેને વસંત ના અંત ની મોસમ કહેવાય છે.21 મી માર્ચ થી સૌર ચૈત્ર નો આરંભ થતો હોય પયાવરણ પૂરક એવા વૈશ્વિક દિન તરીક ઉજવવા માં આવે છે. તેમ ખગોળ મંડળના સંયોજક કિરીટ શાહએ જણાવ્યું હતું.