Entertainment

ઝહીર ખાને ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ પર ઉઠાવ્યા સવાલ, આ નિયમ ચર્ચાનો વિષય છે, ચોક્કસપણે થોડી ચિંતા પણ છે

આઈ પી એલ ની ગત સિઝનમાં ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ ર્નિણય બાદ ટીમો મેચ દરમિયાન પોતાના એક ખેલાડીને બદલી શકે છે. વાસ્તવમાં આ નિયમ પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે. જિયો સિનેમા પર ઝહીર ખાને કહ્યું કે હું સંપૂર્ણ રીતે સંમત છું કે આ ચર્ચાનો વિષય છે, ચોક્કસપણે થોડી ચિંતા છે, પરંતુ આપણે તેનો સામનો કરવાનો રસ્તો શોધવો પડશે. આ સિવાય ઝહીર ખાનનું માનવું છે કે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ હેઠળ માત્ર કામચલાઉ ઓલરાઉન્ડર જ ઉપલબ્ધ રહેશે.

તેથી, ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે ઇમ્પેક્ટ પ્લેયર નિયમ પર સવાલો ઉઠાવ્યા છે. તેમજ ઝહીર ખાને ટી-૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેણે કહ્યું કે મોહમ્મદ સિરાજને ટી૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહની સાથે હોવો જોઈએ. આ બે બોલરો સિવાય અર્શદીપ સિંહને ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવવો જોઈએ.