લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ૭મેના રોજ થવાનું છે, જેમાં ગુજરાતની ૨૫ સીટ પર મતદાન થશે. આ પહેલા તમામ પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિભક્તોને પત્ર લખીને અપીલ કરવામાં આવી છે કે ૭ મેનાં રોજ હરિભક્તો કમળનું બટન દબાવી ભાજપને મત આપે. તેજેન્દ્રપ્રસાદ મહારાજ, કૌશલેન્દ્રપ્રસાદ અને વ્રજેન્દ્રપ્રસાદ દ્વારા હરિભક્તોને અપીલ કરવામાં આવી છે.

આ પત્રમાં રામ મંદિર બનાવવાના નિર્માણમાં સહભાગી થવા ભાજપને મત આપવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકીય મતભેદ ભૂલી જઈ કમળનું બટન દબાવવા પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૪ બેઠકો પર ઉમેદવારોનું ભાવિ ઈફસ્માં કેદ થશે. કાળઝાળ ગરમી વચ્ચે મતદારોને ઘરની બહાર કાઢવું એ ચૂંટણી પંચ માટે એક પડકાર છે, પણ ચૂંટણી પંચ દ્વારા પણ લોકોને ગરમીમાં મતદાન માટે આવે તીરે તકલીફ ના થાય તે અર્થે વિવિધ સુવિધાઓ પણ કરવામાં આવી છે.

