Gujarat

“SC / STના અનામત ક્વોટાની અંદર ક્વોટા રાખી શકાય” : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

DY ચંદ્રચુડની આગેવાની હેઠળ અત્યાર સુધીનો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે એસસી-એસટી કેટેગરીમાં પેટા-વર્ગીકરણ (ક્વોટાની અંદર ક્વોટા) ની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવાની મંજૂરી આપી છે.

સુપ્રીમ કોર્ટના સાત જજાેની બંધારણીય બેન્ચે આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડ્ઢરૂ ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રેણીઓ માટે પેટા-વર્ગીકરણ કરી શકાય છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત, સાત જજાેની બંધારણીય બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ, વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો સમાવેશ થાય છે. ઝ્રત્નૈંએ કહ્યું કે ૬ અભિપ્રાયો સર્વસંમત છે, જ્યારે જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ અસંમતિ વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડ્ઢરૂ ચંદ્રચુડે પોતાના ર્નિણયમાં ઐતિહાસિક પુરાવા ટાંક્યા છે. તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિ એક સમાન વર્ગ નથી. પેટા-વર્ગીકરણ બંધારણની કલમ ૧૪ હેઠળ સમાવિષ્ટ સમાનતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતું નથી. ઉપરાંત, પેટા-વર્ગીકરણ બંધારણની કલમ ૩૪૧(૨)નું ઉલ્લંઘન થતુ નથી. કલમ ૧૫ અને ૧૬માં એવું કંઈ નથી કે જે રાજ્યને કોઈપણ જાતિમાં પેટા-વર્ગીકરણ કરતા અટકાવે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે,”અનુસૂચિત જાતિઓ એક સમાન જૂથ નથી અને સરકાર ૧૫ % અનામતમાં દલિત લોકોને વધુ મહત્વ આપવા માટે તેમને પેટા-વર્ગીકરણ કરી શકે છે. અનુસૂચિત જાતિઓમાં વધુ ભેદભાવ જાેવા મળે છે”. જીઝ્ર એ ચિન્નૈયા કેસમાં ૨૦૦૪ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફગાવી દીધો હતો, જેણે અનુસૂચિત જાતિના પેટા વર્ગીકરણ સામે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,”જીઝ્ર વચ્ચે જાતિઓનું પેટા-વર્ગીકરણ તેમના ભેદભાવની ડિગ્રીના આધારે થવું જાેઈએ. રાજ્યો દ્વારા સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં તેમનું પ્રતિનિધિત્વ ડેટાના સંગ્રહ દ્વારા કરી શકાય છે.

તે સરકારોની ઈચ્છા પર આધારિત ના હોઈ શકે. અનુસૂચિત જાતિ એ સજાતીય જૂથ નથી. સરકાર પીડિત લોકોને ૧૫% અનામતમાં વધુ મહત્વ આપવા માટે પેટા-વર્ગીકરણ કરી શકે છે, અનુસૂચિત જાતિઓમાં વધુ ભેદભાવ, જીઝ્ર માં જાતિઓનું પેટા-વર્ગીકરણ તેમના ભેદભાવની ડિગ્રીના આધારે થવું જાેઈએ, રાજ્યો દ્વારા સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં તેમનું પ્રતિનિધિત્વ પ્રયોગમૂલક ડેટાના સંગ્રહ દ્વારા કરી શકાય છે, તે સરકારોની ઈચ્છા પર આધારિત ન હોઈ શકે”.

પંજાબ સરકારે અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોમાંથી ૫૦ ટકા ‘વાલ્મિકી’ અને ‘મઝહબી શીખો’ને આપવાની જાેગવાઈ કરી હતી. ૨૦૦૪ના સુપ્રીમ કોર્ટના ર્નિણયના આધારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. પંજાબ સરકાર અને અન્ય લોકોએ આ ર્નિણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ૨૦૨૦ માં, સુપ્રીમ કોર્ટના પાંચ જજાેની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, વંચિતોને લાભ આપવા માટે આ જરૂરી છે. બે બેન્ચના અલગ-અલગ ર્નિણય બાદ આ કેસ ૭ જજાેની બેંચને મોકલવામાં આવ્યો હતો. જેનો આજે ચુકાદો આવ્યો છે.