છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચા ચાલી રહી છે કે શું રિષભ પંત આગામી ૈંઁન્ સિઝન દરમિયાન દિલ્હી કેપિટલ્સમાં રહેશે કે પછી તે ચેન્નાઈ સુપર કિંગ્સમાં જઈ શકે છે. આ અંગેનો ર્નિણય થોડા સમય બાદ લેવામાં આવશે પરંતુ તે પહેલા પંત દિલ્હી પ્રીમિયર લીગમાં રમતો જાેવા મળશે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત સતત ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ્૨૦ અને ર્ંડ્ઢૈં ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયામાં તેની પસંદગીને લઈને કેટલીક ચર્ચાઓ થઈ રહી છે, જ્યારે આગામી વર્ષની ૈંઁન્ સિઝનમાં તેની ટીમને લઈને કેટલીક ચર્ચાઓ થઈ રહી છે. રિષભ પંત ૈંઁન્માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી શકે છે. હવે આવું થશે કે નહીં, તે તો થોડા મહિના પછી જ ખબર પડશે પરંતુ હાલ માટે પંતને ચોક્કસ નવી ટીમ મળી છે અને તે નવી ્૨૦ લીગમાં પોતાની પ્રતિભા બતાવવા જઈ રહ્યો છે.
તર્જ પર, છેલ્લા કેટલાક વર્ષોથી દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ્૨૦ લીગની સફળતા બાદ આખરે દિલ્હી એસોસિએશન (ડ્ઢડ્ઢઝ્રછ) પણ પોતાની ્૨૦ લીગ શરૂ કરી રહ્યું છે. આ મહિને શરૂ થઈ રહેલી દિલ્હી પ્રીમિયર લીગમાં કુલ ૬ ફ્રેન્ચાઈઝી ખરીદવામાં આવી છે, જેમાં દિલ્હીથી આવતા અનેક આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ખેલાડીઓ રમતા જાેવા મળશે. આમાં સૌથી મોટું નામ રિષભ પંતનું છે, જે ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. તેમના સિવાય અનુભવી ઝડપી બોલર ઈશાંત શર્મા અને નવદીપ સૈની પણ પોતાની પ્રતિભા બતાવશે.
શુક્રવાર, ૨ ઓગસ્ટે ખેલાડીઓની પસંદગી માટે હરાજીના બદલે ડ્રાફ્ટનું આયોજન કર્યું હતું. આમાં દરેક ટીમને એક પછી એક ખેલાડીઓની પસંદગી કરવાની તક મળી. જ્યારે રિષભ પંતનો વારો હતો, ત્યારે ‘પુરાની દિલ્હી-૬’એ સ્ટાર વિકેટકીપરને પોતાની ટીમમાં સામેલ કરીને અન્ય ટીમો માટે મુશ્કેલી વધારી દીધી હતી. માત્ર પંત જ નહીં, આ ટીમે ઈશાંત શર્માને પણ પસંદ કર્યો, જેનાથી તેમની તાકાત વધી ગઈ. ૈંઁન્ દ્વારા પોતાની ઓળખ બનાવનાર યુવા ઝડપી બોલર હર્ષિત રાણાની પસંદગી ઉત્તર દિલ્હી સ્ટ્રાઈકર્સ દ્વારા કરવામાં આવી હતી અને ઓલરાઉન્ડર આયુષ બદોનીને દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સ દ્વારા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
હવે સવાલ એ છે કે શું રિષભ પંત ખરેખર આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે? જવાબ છે- હા. આ ટૂર્નામેન્ટ ૧૭ ઓગસ્ટથી ૯ સપ્ટેમ્બર સુધી ચાલશે અને આ દરમિયાન ટીમ ઈન્ડિયાની કોઈ સિરીઝ નથી. ડ્ઢડ્ઢઝ્રછના અધ્યક્ષ રોહન જેટલીએ કહ્યું કે પંત આ ટૂર્નામેન્ટની પ્રથમ સિઝનમાં ભાગ લેવા જઈ રહ્યો છે. જેટલીએ કહ્યું કે તેણે પંત સાથે આ વિશે વાત કરી અને તેને સ્ટાર વિકેટકીપર તરીકે લીગમાં રમવાનું વચન આપ્યું. માત્ર પંત જ નહીં પરંતુ ઈશાંત, સૈની, રાણા જેવા ખેલાડીઓ પણ રમશે.
તાજેતરમાં મ્ઝ્રઝ્રૈંએ પણ ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવા માટે કહ્યું છે. ભલે આ મ્ઝ્રઝ્રૈંની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ નથી, પરંતુ તે મ્ઝ્રઝ્રૈંની માન્યતા પ્રાપ્ત લીગ છે. આ સિવાય નવા કોચ ગૌતમ ગંભીરે પણ શ્રીલંકા સામેની ્૨૦ શ્રેણીની સમાપ્તિ પછી ખેલાડીઓને કહ્યું હતું કે બાંગ્લાદેશ સાથે ્૨૦ શ્રેણી શરૂ થાય તે પહેલા લાંબો વિરામ છે, તેથી તેઓએ ફિટનેસ પર કામ કરતા રહેવું જાેઈએ. પંત અને રાણા જેવા ખેલાડીઓ માટે આ લીગ મહત્વની રહેશે.

