Gujarat

ભરૂચમાં સનાતની હિન્દૂ સમાજ દ્વારા વકફ ની મિલકતો બાબતે  પ્રેસ કોન્ફરન્સ યોજાય..

વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટ પર ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શવાતા વિવાદ…
આ અંગે બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટીઓને કોઈ જ જાણ ન કરાય હોવાના આક્ષેપ..
ભરૂચ જિલ્લામાં 1400 થી વધુ મિલકતો વકફના નામે વેબસાઈટમાં દર્શાવાય..
વકફના કાયદાને નાબૂદ કરવાની માંગ…
ભરૂચમાં સનાતની હિન્દૂ સમાજ દ્વારા વકફ ની મિલકતો બાબતે  પ્રેસ કોન્ફરન્સ યોજીવકફની મિલકતો દર્શાવતી વેબસાઈટ પર ભરુચ ની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શવાતા તેનો વિરોધ કરી આ બાબતે કોઈ પણ ટ્રસ્ટી ને જાણ પણ કરાઈ ન હોવાનું કહી વકફ ના કાયદા નાબૂદ કરવાની પણ માંગ કરાઇ હતી.
ભરૂચમાં સનાતની હિન્દુ સમાજ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે  વકફ ની મિલકતો બાબતે  પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરાયું હતું.જેમાં સ્વામી મુક્તાનંદ, કુકરવાડા ત્રી ગુણાતીત આશ્રમ ના સ્વામી લોકેશાનંદ, ઉપરાંત બટુકનાથ વ્યાયામ શાળા ના ટ્રસ્ટીઓ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટ પર  ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શવવા  સાથે ભરુચ માં 1400 થી વધુ મિલકતો દર્શાવવામાં આવી હોવાનું  ઉપસ્થિતોએ જણાવી વકફ ના કાયદાનો દુરુપયોગ કરાઈ રહયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો..
ઐતિહાસિક બટુકનાથ  વ્યાયામશાળા ના ટ્રસ્ટી પિનાકીન રાજપૂત, પ્રકાશ મોદી એ આઝાદી પહેલા 1913 માં સ્વાતંત્ર્ય સેનાની એવા પુરાણી બંધુઓ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હોવાનું કહી આ સમગ્ર મિલકત સરકારી ચોપડે બટુકનાથ વ્યાયામ શાળા ના નામે નોંધાયેલી છે .ત્યારે આ વકફ ની મિલકત વેબસાઈટ પર દર્શાવાઈ છે તે પ્રશ્ન છે .આ અંગે કોઈ નોટિસ પણ ટ્રસ્ટીઓ ને મળી નથી ત્યારે આ વકફ ના કાયદા હેઠળ પડાવી લેવાનું ષડયંત્ર હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો…..
હિન્દુ અગ્રણી  કૃણાલ પંડ્યા એ ભરુચ માં વકફ ની 1400 થી વધુ મિલકતો દર્શાવવામાં આવી હોવાનું કહી  વકફ નો કાયદા નો ગેરલાભ ઉઠવવામાં આવતો હોય તે નાબૂદ કરવાની પણ માંગ કરી હતી….
વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટ પર ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શવાતા સર્જાયેલ  વિવાદ બાદ તંત્ર અને વકફ બોર્ડ દ્વારા શું કોઈ ખુલાસા કરવામાં આવે છે તેમજ કેવા ખુલાસા કરાઈ છે તે જોવું રહ્યું…
વિરલ ગોહિલ, ભરૂચ