સતં શિરોમણી ગુરૂ મહારાજ કૈલાસવાસી કાશ્મીરી બાપુના દિવ્ય આશીર્વાદથી શ્રીમદ્ ભાગવત અમુતઘારા જ્ઞાનયજ્ઞનું દિવ્ય આયોજન શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમ ( આમકુ) ખાતે કથા પ્રારંભ તા. 11-9-2024ને સંવત -2080ના ભાદરવા સુદ આઠમથી ભાદરવા સુદ અનંત ચતુર્દશીને 17–9-2024 મંગળવાર સુધી કરવામાં આવ્યું છે,
કથાનો સમય સવારે 9થી 12 અને બપોરે 3થી 6નો છે, જેમાં કથાના આચાર્ય પદે ડો.નિકુંજ મહારાજ ત્રિવેદી ( કાશી) કથાનું રસપાન કરાવશે. કૈલાસવાસી ગુરૂ મહારાજ કાશ્મીરી બાપુના શિષ્યા મંહત 1008 નર્મદાપુરી માતાજી તથા સેવકગણ દ્વારા આ કથાનું ધર્મપ્રેમી જનતાને લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

