દાહોદ જિલ્લાનાના સર્વે તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું
૨૧૧૫ પશુઓની રસીકરણ અને સારવાર કરાઇ
દાહોદ:-, દાહોદ જિલ્લામાં તમામ તાલુકા મથકે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૨૧૧૫ પશુઓને રસીકરણ મેડીસીન સારવાર, ગાયનેક સર્જરી અને અને કૃમિનાશક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની પશુપાલનની સંસ્થાઓ ખાતે સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ/કે.સી.સી.ના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમ નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.કે.એલ.ગોસાઈ, જિલ્લા પંચાયત, દાહોદ દ્વારા જણાવાયું છે.
૦૦૦રિપોર્ટર :- ઝેની શેખ