વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજના પાછળ અંદાજે રૂ.૬,૦૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે સોમવારે વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શનને લીલી ઝંડી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમના અમલીકરણથી વિદ્યાર્થીઓને ઘણી મદદ મળશે. આ યોજના પાછળ અંદાજે રૂ.૬,૦૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. વન નેશન વન સબસ્ક્રિપ્શન શું છે અને તેનાથી વિદ્યાર્થીઓને કેવી રીતે ફાયદો થશે જે વિષે તમને જણાવીએ, વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમના અમલીકરણથી વિદ્યાર્થીઓને ઘણી મદદ રહેશે તેવી છે.

તમામ યુનિવર્સિટીઓ તેમના સંસાધનો વન નેશન વન સબસ્ક્રિપ્શન દ્વારા શેર કરશે. સરકાર તમામ વિશ્વ પ્રસિદ્ધ જર્નલો લાવશે. તેમનું સબસ્ક્રિપ્શન લેવામાં આવશે અને દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. વન નેશન વન સબ્સ્ક્રિપ્શનમાં કુલ ૩૦ અગ્રણી આંતરરાષ્ટ્રીય જર્નલ પ્રકાશકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોજનાનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારની સંશોધન અને વિકાસ સંસ્થાઓ દ્વારા તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકોને આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના સંશોધન લેખો અને જર્નલ પ્રકાશનોની ઍક્સેસ પ્રદાન કરવાનો છે.

આ યોજનાનો હેતુ તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકોને આંતરરાષ્ટ્રીય સંશોધન લેખો અને જર્નલ પ્રકાશનોની રાષ્ટ્રવ્યાપી ઍક્સેસ પ્રદાન કરવાનો છે. આ યોજનાથી તમામ વિષયોના ૧.૮ કરોડ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો અને વૈજ્ઞાનિકોને લાભ થશે. પ્રકાશકો દ્વારા પ્રકાશિત ૧૩,૦૦૦ થી વધુ ઈ-જર્નલ્સ ૬૩૦૦ થી વધુ સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કેન્દ્ર સરકારની સંશોધન અને વિકાસ સંસ્થાઓ માટે સુલભ હશે.
વિદ્યાર્થીઓને કેવી રીતે થશે ફાયદો જે વિષે તમને જણાવીએ, વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ જર્નલ પબ્લિશર્સનું રિસર્ચ સરળતાથી ઉપલબ્ધ થશે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકોને આંતરરાષ્ટ્રીય સંશોધન લેખો અને જર્નલ પ્રકાશનોની રાષ્ટ્રવ્યાપી ઍક્સેસ પ્રદાન કરવાનો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન સ્વાયત્ત કેન્દ્ર ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર, ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક દ્વારા સંકલિત રાષ્ટ્રીય સભ્યપદ દ્વારા જર્નલ્સની ઍક્સેસ સંપૂર્ણપણે ડિજિટલ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.

