National

પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના પરિચયપત્રો રજૂ કર્યા

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫) રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારંભમાં પનામા, ગુયાના, સુદાન, ડેન્માર્ક અને પેલેસ્ટાઇનનાં રાજદૂતો/હાઈ કમિશનરો પાસેથી પરિચય પત્રો સ્વીકાર્યાં હતાં. જેમણે તેમના પરિચય પત્રો રજૂ કર્યા હતા તે આ

મુજબ હતાઃ

૧. મહામહિમ શ્રી એલોન્સો કોરિયા મિગ્યુએલ, રિપબ્લિક ઓફ પનામાના રાજદૂત
૨. મહામહિમ શ્રી ધરમકુમાર સીરાજ, સહકારી પ્રજાસત્તાક ગુયાનાના હાઈ કમિશનર
૩. મહામહિમ ડૉ. મોહમ્મદ અબ્દાલા અલી એલ્ટોમ, પ્રજાસત્તાક સુદાનના રાજદૂત
૪. મહામહિમ શ્રી રાસમસ એબિલ્ડગાર્ડ ક્રિસ્ટેનસેન, રાજદૂત, ડેન્માર્ક
૫. મહામહિમ શ્રી અબ્દુલ્લાહ મોહમ્મદ એ. અબુશવેશ, પેલેસ્ટાઇનના રાજદૂત