ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (૨૭ જૂન, ૨૦૨૫) નવી દિલ્હીમાં MSME દિવસ ઉજવણીમાં ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો દેશના અર્થતંત્રનો મજબૂત આધારસ્તંભ છે. તેઓ GDPમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને પાયાના સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપે છે. દેશના ટકાઉ આર્થિક વિકાસ માટે એક મજબૂત MSME ઇકોસિસ્ટમ માત્ર મહત્વપૂર્ણ જ નહીં પણ આવશ્યક પણ છે. આ સાહસો પ્રમાણમાં ઓછા મૂડી ખર્ચે વધુ રોજગારની તકો ઉત્પન્ન કરે છે. સૌથી અગત્યનું, આ સાહસો ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં રોજગાર ઉત્પન્ન કરે છે. આમ, MSME ક્ષેત્ર નબળા વર્ગોને સશક્ત બનાવીને અને વિકાસનું વિકેન્દ્રીકરણ કરીને સમાવિષ્ટ વિકાસમાં ફાળો આપે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશની પ્રગતિમાં સ્જીસ્ઈ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે તેમાં કોઈ શંકા નથી. જાેકે, આ ક્ષેત્ર અનેક પડકારોનો પણ સામનો કરી રહ્યું છે, જેમાં નાણાકીય સમસ્યાઓ, મોટી કંપનીઓ તરફથી સ્પર્ધા, નવીનતમ ટેકનોલોજીનો અભાવ, કાચા માલ અને કુશળ કાર્યબળની અછત, મર્યાદિત બજારો અને વિલંબિત ચુકવણીનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે MSMEsના મહત્વ અને તેમની સમસ્યાઓને સમજીને, કેન્દ્ર સરકારે અનેક નીતિગત પહેલ કરી છે. આમાં સ્જીસ્ઈજ માટે વર્ગીકરણ માપદંડોમાં સુધારો, ધિરાણની ઉપલબ્ધતામાં વધારો, કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોને તેમની વાર્ષિક ખરીદી જરૂરિયાતોના ઓછામાં ઓછા ૩૫ ટકા સૂક્ષ્મ અને નાના સાહસો પાસેથી મેળવવા માટે પ્રોત્સાહન, PM વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોનો કૌશલ્ય વિકાસ વગેરેનો સમાવેશ થાય છે. તેમને એ જાણીને આનંદ થયો કે આ પ્રયાસોથી નોંધાયેલા સ્જીસ્ઈજની સંખ્યામાં ખૂબ જ ઝડપી વધારો થયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્જીસ્ઈજ માટે ઓનલાઇન વિવાદ નિવારણ પોર્ટલ વિલંબિત ચુકવણીના કિસ્સાઓમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
શ્રીમતી મુર્મુએ કહ્યું કે MSMEsની ટકાઉપણું માટે નવીનતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્જીસ્ઈજ દ્વારા પાયાના સ્તરે પ્રોત્સાહન આપવામાં આવતી નવીનતા સ્થાનિક સંસાધનોમાંથી સ્થાનિક સમસ્યાઓના સસ્તા ઉકેલો પ્રદાન કરી શકે છે.
રાષ્ટ્રપતિએ તાજેતરના વર્ષોમાં MSME ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીમાં થયેલા વધારા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દેશના સર્વાંગી વિકાસ માટે આ ક્ષેત્રમાં મહિલાઓની વધુ ભાગીદારી જરૂરી છે. તેમણે યુવા મહિલાઓને ઉદ્યોગો સ્થાપવા અને આર્ત્મનિભર બનવા વિનંતી કરી હતી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે MSME ભારતના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. પરંતુ તેઓ ઉર્જા વપરાશ અને ઉત્સર્જનમાં મોટો હિસ્સો પણ ધરાવે છે. MSME ક્ષેત્રમાં ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું એ સમયની જરૂરિયાત છે. આનાથી માત્ર MSME ની ટકાઉપણું અને સ્પર્ધાત્મકતા વધશે નહીં પરંતુ દેશને તેના આબોહવા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં પણ મદદ મળશે.

