Gujarat

શિશુવિહાર સંસ્થાની નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં નર્મદ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાય

શિશુવિહાર સંસ્થાની નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં નર્મદ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાય —————————– ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં નર્મદ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. તા.15 જુલાઈએ યોજાયેલ શિબિરમાં 181 ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને 75 બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , ડૉ.અભિલાષા બહેન સોનપાલ , શ્રી છાયાબહેન રાણીગા, શ્રી ધર્મેશભાઈ વડોદરીયા, શ્રી કમલેશભાઈ વેગડ ,મોહિતભાઈ ચોહાણ નિરમા લિમિટેડ હેલ્થ સેન્ટરના જયભાઈ દવે તથા સરપંચ શ્રી રમેશભાઈ મકવાણા આચાર્ય શ્રી વિક્રમભાઈ મોરીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..
આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક શ્રી અનિલભાઈ બોરીચાએ કર્યું હતું.. રિપોર્ટ નટવરલાલ ભાતિયા