National

મધ્ય પ્રદેશના ભોપાલમાં હેલ્મેટ નહીં તો, પેટ્રોલ નહીં: જિલ્લા વહીવટીતંત્રે ટુ-વ્હીલર સવારો માટે કડક આદેશો જારી કર્યા

માર્ગ સલામતી વધારવા માટે એક મોટા પગલામાં, ભોપાલ જિલ્લા કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે કડક નિર્દેશ જારી કર્યો છે – હેલ્મેટ વગરના ટુ-વ્હીલર સવારોને હવે મધ્યપ્રદેશની રાજધાનીમાં કોઈપણ પેટ્રોલ પંપ પરથી ઈંધણ ખરીદવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ આદેશ ભોપાલ જિલ્લાના તમામ પેટ્રોલ અને સીએનજી પંપ પર પણ લાગુ પડે છે.

હેલ્મેટ વગરના સવારોને કારણે થતા માર્ગ અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. કલેક્ટરના આદેશમાં જણાવાયું છે કે કોઈપણ વ્યક્તિ, સંસ્થા અથવા ફ્યુઅલ સ્ટેશન ઓપરેટર આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમને ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૨૩ હેઠળ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

પેટ્રોલ પંપોને આપવામાં આવેલા આદેશો

આદેશ અનુસાર, પ્રાથમિક ઉદ્દેશ્ય ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો અને માર્ગ અકસ્માતો ઘટાડવાનો છે. ફ્યુઅલ પંપ ઓપરેટરોને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી છે કે જાે તેઓ ૈંજીૈં-માર્કવાળા હેલ્મેટ ન પહેરનારા સવારોને ઈંધણ પૂરું પાડશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ આદેશમાં મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ ની કલમ ૧૨૯ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દરેક ટુ-વ્હીલર સવાર અને પાછળ બેઠેલા મુસાફરને સલામતી ધોરણોને અનુરૂપ રક્ષણાત્મક હેલ્મેટ પહેરવાની ફરજ પાડે છે.

માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો ધ્યેય

ભોપાલમાં આવી ઝુંબેશ પહેલી વાર શરૂ કરવામાં આવી નથી, પરંતુ જિલ્લા વહીવટીતંત્રે જાહેરાત કરી છે કે આ વખતે તેનો સંપૂર્ણ કડક અમલ કરવામાં આવશે. વહીવટીતંત્રે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હેલ્મેટ ન પહેરનાર કોઈપણ ટુ-વ્હીલર સવારને કોઈ પણ પ્રકારનું ઇંધણ કે ઝ્રદ્ગય્ આપવામાં આવશે નહીં.

આ નિર્દેશને પગલે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શહેરમાં વધુ લોકો વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની આદત અપનાવશે.