મેંદરડા પંથક સહિત સમગ્ર જીલ્લા મા ઈયળો નો ઉપદ્રવ
મેંદરડા પંથક સહિત ચોમાસુ કરેલ વાવેતર મગફળી સોયાબીન મા ઈયળો નો ઉપદ્રવ વધુ દેખાય છે મેંદરડા ના ખેડૂત પુત્ર પરસોત્તમ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર અત્યારે મગફળી તેમજ સોયાબીન મા મુખ્યત્વે લીલી અને લશ્કરી ઈયળ નો ઉપદ્રવ બહોળી સંખ્યામાં છે લશ્કરી ઈયળ ની એક ખાસીયત એ છે કે તે સાંજ પડે ને ઉપર આવી ને મગફળી જેવા પાકો ને ખાઈ જાય છે અને સવાર પડતા પાછી જમીન મા ઉતરી જાય છે તેથી તેને મારવી ખુબ મુશ્કેલ છે અને અત્યારે એને કોઈપણ જાત ની જંતુનાશક દવા લાગતી નથી તેથી ખેડૂતો ની મુશ્કેલી માં વધારો થયો છે
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા