Gujarat

જામનગરમાં નવી ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ *”ઝટપટીયા શુભલગ્ન”*

જામનગરમાં નવી ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ

*”ઝટપટીયા શુભલગ્ન”*

જોરદાર નું શૂટિંગ શરૂ!

જામનગર:
ગુજરાતી સિનેમા જગતમાં એક નવો ઉત્સાહ ઉમેરવા, સંસ્કાર ફિલ્મ્સ ઇન્ટરનેશનલ દ્વારા પ્રસ્તુત નવી ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ “ઝટપટીયા શુભલગ્ન” નું શૂટિંગ અત્યારે જામનગરના વિવિધ લોકેશન પર રાત-દિવસ ચાલી રહ્યું છે. આ ફિલ્મનું મુહૂર્ત ૨3-૦૩-૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું
અને હવે ટીમ સંપૂર્ણ જોશમાં મુખ્ય શૂટિંગમાં વ્યસ્ત છે.
આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ જામનગર નજીકના વિસ્તારોમાં જ કરવામાં આવ્યું છે. તેમાં ખાસ કરીને રમેશભાઈ હરવાળા નો સહયોગ ખૂબ જ સરસ મળેલો છે. તેમના ફાર્મહાઉસ અને બંગલા ખાતે આ શૂટિંગ હાલમાં પૂરજોશમાં ચાલુ છે, જે ફિલ્મના દ્રશ્યોમાં એક નવું આકર્ષણ ઉમેરશે.

ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક શ્રી વિજય દલવાડીએ આ અવસરે જણાવ્યું, “આ ફિલ્મ ‘આપણી ભાષા, આપણું ગૌરવ’ ના સૂત્રને ચરિતાર્થ કરે છે. અમારો પ્રયાસ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને આધુનિક રીતે રજૂ કરવાનો છે, જે મનોરંજક હોય અને દર્શકોને ગમે.” તેમણે ઉમેર્યું કે જામનગરના ઐતિહાસિક સ્થાપત્યો અને સ્થાનિક લોકેશનને ફિલ્મમાં મહત્વપૂર્ણ રીતે આવરી લેવામાં આવ્યા છે, જેથી જામનગરનું અસલી સૌંદર્ય દર્શકો સુધી પહોંચી શકે.
ફિલ્મની કથા અને પટકથા ભારતી બાણધર દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેમાં હાસ્ય, લાગણી અને સામાજિક સંદેશનો અનોખો સમન્વય છે. જાણીતા ટેકનિકલ કસબીઓ પીયુષ ભાનુશાળી અને ક્રિષ્નાસિંહ ઝાલા પોતાની છબીકલાના જોરે આ નાટકને સુંદર રીતે તૈયાર કરી રહ્યા છે.
આ કોમેડી-ડ્રામામાં મુખ્ય પાત્રો માટે જાણીતા અને અનુભવી કલાકારોની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો અને ટીમ જામનગરના લોકો, તેમજ રમેશભાઈ હરવળા અને સ્થાનિક પ્રશાસન તરફથી મળેલા ટેકા બદલ ખૂબ આભારી છે. ફિલ્મની રિલીઝની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

IMG_20260402_085734.jpg