Gujarat

રાધનપુર મહિલા મોરચો દ્વારા ભાજપા સ્થાપના દિવસ નિમિત્તે હર ઘર સંપર્ક અભિયાન….

રાધનપુર મહિલા મોરચો દ્વારા ભાજપા સ્થાપના દિવસ નિમિત્તે હર ઘર સંપર્ક અભિયાન….

ભારતીય જનતા પાર્ટી ના 47મા સ્થાપન દિવસ નિમિત્તે રાધનપુર મહિલા મોરચો ની બહેનો દ્વારા હર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત રાધનપુર નગર માં ઘરે ધરે સંપર્ક કરી ને ભારતીય જનતા પાર્ટી ના 47 માં સ્થાપના દિવસ ની શુભકામનાઓ પાઠવેલ તથા ભાજપ નો ધ્વજ લહેરાવ્યો હતો આ, પ્રસંગે રાધનપુર શહેર ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ કિંજલબેન દરજી, પાટણ જીલ્લા ભાજપ મહિલા મોરચો મહામંત્રી કોમલબેન વ્યાસ તથા રાધનપુર શહેર મહિલા મોરચો મહામંત્રી પ્રીતીબેન પટેલ,દિક્ષીતાબેન ખમાર
ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી તથા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ના વૈચારિક બીજમાંથી 1980 માં ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના થયેલ તથા અનેક કાર્યકરો ના સંઘર્ષ, અવિરત પરિષમ તથા અતૂટ સમર્પણ થી આજે વિરાટ વટવૃક્ષ આકાર પામ્યું છે.
ભાજપા ના સ્થાપના દિવસ નિમિત્તે રાધનપુર શહેર ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ કિંજલબેન દરજી એ જણાવેલ કે રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાશન ના સિદ્ધાંતો ને આત્મસાત કરીને ભારતીય જનતા પાર્ટી એ સાબિત કર્યું છે કે તે માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ દેશની આશા અને અસ્મિતા નું જીવંત પ્રતીક છે.વધુ માં કિંજલબેન દરજીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના મજબૂત નેતૃત્વ માં આજે દેશમાં જન- જન વિશ્વાસ અને સહકાર થી પ્રગતિ અને વિકાસ ના નવા આયામો સર કરી રહ્યું છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

IMG-20260407-WA0014-2.jpg IMG-20260407-WA0012-3.jpg IMG-20260407-WA0015-1.jpg IMG-20260407-WA0013-0.jpg