કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીમાં કૃષિ ભવન ખાતે એક ઉચ્ચ સ્તરીય સાપ્તાહિક કૃષિ સમીક્ષા બેઠક યોજી હતી અને ખરીફ ૨૦૨૬ની સિઝન માટે દેશભરમાં કરાયેલી તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. આ સાથે, સંભવિત અલ નીનોની સ્થિતિના સંદર્ભમાં, તેમણે કપાસનું ઉત્પાદન વધારવા, કઠોળમાં આર્ત્મનિભરતા પ્રાપ્ત કરવા અને ઓછો વરસાદ ધરાવતા જિલ્લાઓ માટે અગાઉથી યોજનાઓ તૈયાર કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો અને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવું એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ બેઠકમાં એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે સિઝન દરમિયાન ઊભી થઈ શકે તેવી કોઈપણ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓથી કૃષિ અને ખેડૂતોને બચાવવા માટે તમામ જરૂરી પગલાં અગાઉથી જ લેવામાં આવે.
બેઠકમાં સંભવિત અલ નીનોની સ્થિતિ વિશે ચર્ચા કરતી વખતે, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા કે જે જિલ્લાઓમાં ઓછો વરસાદ અથવા અસમાન વરસાદ થવાની સંભાવના છે ત્યાં અગાઉથી સંપૂર્ણ તૈયારીઓ કરી લેવી જાેઈએ. તેમણે કહ્યું કે આવા જિલ્લાઓની સ્પષ્ટ ઓળખ થવી જાેઈએ અને રાજ્ય સરકારો સાથે સંકલન કરીને પાકવાર આકસ્મિક યોજનાઓ તૈયાર કરવી જાેઈએ જેથી હવામાનના કોઈપણ પડકારની સ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક વિકલ્પો, સલાહ અને સહાય પૂરી પાડી શકાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જળ સંરક્ષણ, ભેજ વ્યવસ્થાપન, આંતર-પાક પદ્ધતિ અને વૈકલ્પિક પાક પદ્ધતિઓ પર વિશેષ ધ્યાન આપવું જાેઈએ અને દરેક જાેખમ ધરાવતા જિલ્લા માટે એક અલગ અને વ્યવહારુ વ્યુહરચના બનાવવી જાેઈએ જેથી ખરીફ સિઝન દરમિયાન ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તેઓ કોઈપણ મોટી સમસ્યા વિના પોતાની ખેતીની પ્રવૃત્તિઓ સુચારૂ રીતે ચાલુ રાખી શકે.
શ્રી શિવરાજ સિંહ ચૌહાણે એવા ૯-૧૦ રાજ્યો જ્યાં અલ નીનોની અસર પ્રમાણમાં વધુ હોઈ શકે છે, ત્યાં ઓળખાયેલા જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ, કૃષિ વિભાગો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (દ્ભફદ્ભજ) અને અન્ય વિસ્તરણ પ્રણાલીઓ સાથે સંકલિત બેઠકો યોજવા માટે પણ નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે આ બેઠકોમાં જિલ્લા કક્ષાની સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ થવી જાેઈએ અને ખેડૂતોમાં જાગૃતિ અભિયાનો ચલાવવા જાેઈએ જેથી દરેક ખેડૂત જાણી શકે કે તેના વિસ્તાર માટે કઈ સાવચેતીઓ અને કયા પાકના વિકલ્પો વધુ સુરક્ષિત છે. શ્રી શિવરાજ સિંહે જણાવ્યું હતું કે ભયને અતિશયોક્તિ પૂર્વક રજૂ કરવાને બદલે, વૈજ્ઞાનિક વિશ્લેષણ પર આધારિત શાંત, ભરોસાપાત્ર અને ઉકેલલક્ષી સંદેશ ખેડૂતો સુધી પહોંચવો જાેઈએ, અને આ જ સરકારની પ્રાથમિકતા છે. આ અભિગમ ખેડૂતોમાં આત્મવિશ્વાસ વધારવામાં અને આગામી સિઝન માટે બહેતર સજ્જતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
ખરીફ ૨૦૨૬ માટે પાકવાર લક્ષ્યાંકો, વાવણીની પ્રગતિ અને રાજ્યવાર તૈયારીઓની સમીક્ષા દરમિયાન, કપાસનું ઉત્પાદન વધારવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વૈજ્ઞાનિક પદ્ધતિઓ, યોગ્ય જાતોની પસંદગી, આંતર-પાક પદ્ધતિ, મલ્ચિંગ અને ભેજ સંરક્ષણના પગલાંને મોટા પાયે પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો જેથી કપાસની ઉત્પાદકતા અને આવક બંનેમાં નોંધપાત્ર સુધારો થાય. તેમણે અધિકારીઓને આ હેતુ માટે મિશન મોડમાં કામ કરવા અને આ સિઝનમાં કપાસનું ઉત્પાદન વધારવા માટે તમામ સંભવિત પગલાં સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો જેથી ખેડૂતોને તેમના પ્રયાસોનું બહેતર વળતર મળી શકે.
કઠોળ મિશનમાં આર્ત્મનિભરતા અંગે પણ વિગતવાર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહે માહિતી આપી હતી કે સરકારનો પ્રયાસ તુવેર, અડદ અને મગ જેવી કઠોળમાં દેશને વધુ આર્ત્મનિભર બનાવવાનો અને આયાત પરની ર્નિભરતા ઘટાડવાનો છે. આ માટે, રાજ્યો સાથે સંકલન કરીને પાક ચક્ર, વિસ્તાર વિસ્તરણ, બહેતર બિયારણની ઉપલબ્ધતા અને તકનીકી માર્ગદર્શન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતો સુરક્ષિત આવકની સાથે કઠોળનું ઉત્પાદન વધારી શકે. આયાત પરની ર્નિભરતા ઘટાડવા અને કઠોળના સ્થાનિક ઉત્પાદનને ટકાઉ રીતે મજબૂત કરવા માટે આ મિશન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સમીક્ષા દરમિયાન ખાતરની ઉપલબ્ધતા, બજારમાં મંડીના ભાવો, જળાશયો અને પાણીના સંગ્રહની સ્થિતિ તેમજ રાજ્યવાર સ્ટોક અંગેની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે ખાતર ઉપલબ્ધ છે અને જેમ જેમ ચોમાસાની ગતિ વધશે તેમ તેમ રાજ્યો અને જિલ્લાઓમાં પુરવઠો વધુ કાર્યક્ષમ બનાવવામાં આવશે. આ માટે તેમણે અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા અને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જ્યાં પણ સૂક્ષ્મ સ્તરે અછતની કોઈ પણ શક્યતા હોય, ત્યાં અગાઉથી પુરવઠો સુનિશ્ચિત કરવો જાેઈએ જેથી ખેડૂતોને ખેતીની સિઝનના કોઈપણ તબક્કે કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ ચિંતામુક્ત થઈને પોતાની પ્રવૃત્તિઓ કરી શકે.

