National

મહારાષ્ટ્રના સીનીયર નેતા ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો!

યુબીટીના ૬ બળવાખોર સાંસદો સત્તાવાર રીતે શિંદેની શિવસેનામાં જોડાયા

શિવસેના ના છ સાંસદો, જેમાં સંજય દિના પાટિલ, સંજય દેશમુખ, સંજય જાધવ, ભાઉસાહેબ વાકચૌરે, નાગેશ પાટિલ-અષ્ટિકર અને ઓમપ્રકાશ રાજે નિમ્બાલકરનો સમાવેશ થાય છે, સોમવારે શિવસેના (શિંદે) માં સત્તાવાર રીતે જોડાયા. તેમણે મુંબઈમાં એક પત્રકાર પરિષદ દ્વારા આ જાહેરાત કરી.

આ પગલાને કારણે સેનાના સાંસદોની સંખ્યા ૭ થી વધીને ૧૩ થઈ ગઈ છે. આનાથી શિવસેનાની તાકાતમાં વધારો થયો છે.

આ ૬ બળવાખોર સાંસદોએ ૧૭ જૂને દિલ્હીમાં સેના (ેંમ્) સંસદીય પક્ષની બેઠક છોડી દીધી હતી, જેના કારણે એવી અટકળોને વેગ મળ્યો હતો કે તેઓ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાઈ રહ્યા છે.

નાગેશ પાટિલ-અષ્ટિકર અને ઓમપ્રકાશ રાજે નિમ્બાલકર જ બે સાંસદ હતા જેમણે પુષ્ટિ આપી હતી કે તેઓ શિંદે જૂથમાં જઈ રહ્યા છે.

પરિવહન મંત્રી અને સેનાના નેતા પ્રતાપ સરનાઈકે કહ્યું છે કે છ સાંસદો સેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે અને સાંસદ શ્રીકાંત શિંદેના કાર્યથી પ્રભાવિત થયા હતા અને આજે સેનામાં જોડાઈ રહ્યા છે. તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર આપ્યો હતો અને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને અનુસરવા માંગતા હતા.