રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ રવિવારે આંધ્રપ્રદેશના તિરુમાલા હિલ્સ સ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી અને સદીઓ જૂની ભક્તિ પરંપરાને અનુસરીને પોતાના વાળનું દાન કર્યું.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ના વરિષ્ઠ અધિકારીઓ પણ મંદિરની મુલાકાત દરમિયાન હાજર હતા.
અબજાેપતિ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના અધ્યક્ષ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ પણ મંદિરમાં સુપ્રભાત સેવામાં ભાગ લીધો હતો અને ત્યાં હાથીઓને ભોજન કરાવતા જાેવા મળ્યા હતા. ધાર્મિક વિધિઓ પછી, સફેદ શાલ પહેરેલા અનંત અંબાણીએ ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં પ્રાર્થના કરી.
ઉદ્યોગપતિ અનંત અંબાણીએ રવિવારે તિરુમાલા મંદિરની મુલાકાત લીધી.
રિલાયન્સ તિરુમાલા મંદિરને ૨૫ ઇલેક્ટ્રિક બસોનું દાન કરશે
તેમની મુલાકાત દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જાહેરાત કરી કે કંપની મંદિર વહીવટને ૨૭.૫ કરોડ રૂપિયાની ૨૫ ઇલેક્ટ્રિક બસોનું દાન કરશે. તેમણે કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ બસો ચલાવવા માટે જરૂરી ૫૦ ડ્રાઇવરોના પગાર અને અન્ય ભથ્થાં પણ ચૂકવશે.
ઉદ્યોગપતિ અનંત અંબાણીએ રવિવારે તિરુમાલા મંદિરની મુલાકાત લીધી હતી.
વધુમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બસોના સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે ઇલેક્ટ્રિક વાહન (ઈફ) ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં મંદિર વહીવટને મદદ કરશે, અનંત અંબાણીએ રવિવારે જાહેરાત કરી હતી.
આ મહિને તેમણે બીજી વખત મંદિરની મુલાકાત લીધી હતી. અગાઉ, અનંત અંબાણીએ ૧૨ જૂને મંદિરની મુલાકાત લીધી હતી. તે સમયે, તેમની સાથે તેમના પિતા મુકેશ અંબાણી, તેમની પત્ની રાધિકા મર્ચન્ટ અને અન્ય લોકો પણ હતા.

