International

કેનેડામાં કામચલાઉ વિઝા પર રહેલા લોકોને મળતી સામાજિક સહાયમાં ઓન્ટારિયો દ્વારા ઘટાડો કરવામાં આવ્યો

કેનેડામાં ઇમિગ્રન્ટ વિરોધી ભાવના સતત ગુંજતી રહી છે, ત્યારે દેશનો સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત ગેરકાયદેસર રીતે અથવા કામચલાઉ વિઝા પર રહેલા લોકો, જેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વર્ક પરમિટ પર હોય તેવા લોકોનો સમાવેશ થાય છે, તેમને સામાજિક સહાયની ઍક્સેસ બંધ કરી રહ્યો છે.

ગુરુવારે ઓન્ટારિયોના બાળ, સમુદાય અને સામાજિક સેવાઓ મંત્રી માઈકલ પારસા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

ઓન્ટારિયો સરકારે એક પ્રકાશનમાં જાહેરાત કરી હતી કે તે પ્રાંતના સામાજિક સહાય કાર્યક્રમો માટે “નિયમોને મજબૂત” બનાવી રહી છે “જેથી ખાતરી થાય કે ફક્ત કેનેડામાં કાયદેસર રીતે રહેતા લોકો જ ઓન્ટારિયો વર્ક્સ અથવા ઓન્ટારિયો ડિસેબિલિટી સપોર્ટ પ્રોગ્રામમાંથી નાણાકીય સહાય મેળવી શકે.”

તેણે દાવો કર્યો હતો કે નવા નિયમો, જે તાત્કાલિક અમલમાં આવશે, કરદાતાઓના ડોલરનું રક્ષણ કરશે અને ખાતરી કરશે કે ઓન્ટારિયોના સામાજિક સહાય કાર્યક્રમો ફક્ત એવા પરિવારો અને વ્યક્તિઓને ટેકો આપવા પર કેન્દ્રિત છે જેઓ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને કેનેડામાં રહેવા માટે કાયદેસર રીતે અધિકૃત છે.

“આ ફેરફારો કરદાતાઓના ડોલરનું રક્ષણ કરશે અને ખાતરી કરશે કે આ કાર્યક્રમો એવા લોકો માટે છે જેમને તેઓ ટેકો આપવાના હતા,” પારસાએ કહ્યું.

ગયા મહિને નેશનલ પોસ્ટ નામના આઉટલેટમાં અહેવાલ આવ્યા બાદ આ ફેરફાર આવ્યો હતો કે ઓન્ટારિયો સોશિયલ બેનિફિટ્સ ટ્રિબ્યુનલે બે દાયકાથી વધુ સમયથી કેનેડામાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિને ઓન્ટારિયો વર્ક્સ લાભો મેળવવાની મંજૂરી આપી હતી. તે અજાણ્યો વ્યક્તિ ૧૯૯૭માં વર્ક પરમિટ પર કેનેડામાં પ્રવેશ્યો હતો અને સ્થિતિ ગુમાવવા છતાં ક્યારેય ત્યાંથી ગયો ન હતો. જાેકે, ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો હતો કે લાગુ કાયદામાં ફક્ત મુલાકાતીઓ, પ્રવાસીઓ અને તેમના વિરુદ્ધ દેશનિકાલ અથવા અમલમાં મુકાયેલા દૂર કરવાના આદેશ ધરાવતા લોકોને લાભો પર પ્રતિબંધ છે.

તે સમયે, ઓન્ટારિયોના પ્રીમિયર (ભારતીય રાજ્યના મુખ્યમંત્રી સમકક્ષ) ડગ ફોર્ડે પ્રતિક્રિયા આપી હતી કે, “અમારી સરકાર હંમેશા મુશ્કેલ સમયમાં લોકોને ટેકો આપવા માટે હાજર રહેશે – પરંતુ તેમાં ગેરકાયદેસર રીતે કેનેડામાં રહેતા લોકોનો સમાવેશ થતો નથી. જાે તે સ્પષ્ટ કરવા માટે પ્રાંતીય નિયમોમાં ફેરફાર કરવાની જરૂર હોય, તો અમે તેમને બદલીશું.”

પ્રાંતીય સરકારે લાભોને આવરી લેતા બે કાયદાઓ માટે નિયમોમાં સુધારો કર્યા પછી આ ફેરફારો થયા છે. જાેકે, અપડેટ કરેલા નિયમોનો વ્યાપ વ્યાપક છે, જે ફક્ત ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા લોકોને જ નહીં, પરંતુ “કેનેડામાં કામચલાઉ ધોરણે રહેવા માટે અધિકૃત વ્યક્તિઓ, ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી વિઝા, વર્ક પરમિટ ધરાવતા અથવા મુલાકાતીઓ અને પ્રવાસીઓ તરીકે” પણ આવરી લે છે.

“આ ફેરફારો તાત્કાલિક અમલમાં આવે છે જેથી કેનેડામાં રહેવા માટે અધિકૃત ન હોય તેવા લોકોને આ નાણાકીય સહાય મેળવવાથી રોકી શકાય, ખાતરી કરી શકાય કે ઓન્ટારિયોના સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા સામાજિક સહાય કાર્યક્રમો એવા લોકો માટે અનામત છે જેઓ પ્રાંતની પાત્રતા આવશ્યકતાઓને પૂર્ણ કરે છે,” તેમાં ઉમેર્યું.