National

લોકાયન ૨૦૨૬ – ભારતીય નૌકાદળનું જહાજ INS સુદર્શિની પોન્ટા ડેલગાડા, પોર્ટુગલ પહોંચ્યું

ભારતીય નૌકાદળનું સેઇલ ટ્રેનિંગ શિપ (સલેટી નૌકા તાલીમ જહાજ) INS સુદર્શિની ચાલુ ‘લોકાયન ૨૦૨૬‘ યાત્રાના ભાગરૂપે ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ એઝોરેસ, પોર્ટુગલના પોન્ટા ડેલગાડા બંદરે પહોંચ્યું હતું. આ આગમન સાથે બોસ્ટન, યુએસએથી શરૂ થયેલી અટલાન્ટિક મહાસાગર પારની ૧૯ દિવસની પડકારજનક મહાસાગરીય સફર સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. INS સુદર્શિનીની આ બીજી અટલાન્ટિક પારની મુસાફરી છે, જે તેના ક્રૂની સહિષ્ણુતા, હિંમત અને દરિયાઈ કૌશલ્યને રેખાંકિત કરે છે.

બંદરે પહોંચવા પર પોર્ટુગીઝ નૌકાદળ દ્વારા જહાજનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બંદર મુલાકાત ભારતની સમૃદ્ધ દરિયાઈ વિરાસત, મિત્રતા અને દરિયાઈ સહયોગનો સંદેશ આગળ ધપાવે છે. પોર્ટ કૉલ દરમિયાન, INS સુદર્શિનીના કમાન્ડિંગ ઓફિસરે એઝોરેસ મેરીટાઇમ ઝોન ના કમાન્ડર કમોડોર લુઇસ નિકોલસન લેવરાડૌર સાથે મુલાકાત કરી હતી. જહાજ વ્યવસાયિક સંવાદ, ઓપરેશનલ રિપ્લેનિશમેન્ટ (પુરવઠો પુન: ભરવો) અને સાંસ્કૃતિક આપ-લેમાં જાેડાશે, જે ભારત અને પોર્ટુગલ વચ્ચેના દરિયાઈ સંબંધોને વધુ મજબૂત કરશે.

૧૫,૦૦૦ નોટિકલ માઇલથી વધુની સફર ખેડીને, INS સુદર્શિની સદ્ભાવના અને ભારતની જીવંત દરિયાઈ વિરાસતના તરતા રાજદૂત તરીકે તેની મુસાફરી ચાલુ રાખી રહ્યું છે.