Sports

IPL ૨૦૨૭ પહેલાં ચામિંડા વાસ અને અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં જાેડાવા માટે તૈયાર છે.

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ચામિંડા વાસ અને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અમિત મિશ્રા IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ૨૦૨૭ પહેલા દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં જાેડાવા માટે તૈયાર છે. નોંધનીય છે કે ચામિંડા વાસ આ સિઝન પહેલા દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ બનશે.

અમિત મિશ્રા આગામી સિઝન માટે ટીમની કોચિંગ ટીમમાં જાેડાશે. સૌરવ ગાંગુલી મુખ્ય કોચ રહેશે અને યુવરાજ સિંહ બેટિંગ કોચની ભૂમિકા ભજવશે; ટીમ નવા કોચિંગ સ્ટાફ સાથે આગામી સિઝનમાં સારું પ્રદર્શન કરવાની અને તેમનું પ્રથમ IPL ટાઇટલ જીતવાની આશા રાખશે.

શ્રીલંકાના ક્રિકેટમાં અત્યંત આદરણીય નામોમાંના એક એવા ચામિંડા વાસ પોતાની સાથે બહોળો અનુભવ લઈને આવી રહ્યા છે. ટેસ્ટમાં ૩૫૫ અને ર્ંડ્ઢૈંમાં ૪૦૦ વિકેટ સાથે, વાસ તેમના સમયના સૌથી ખતરનાક બોલરોમાંના એક હતા અને તેઓ ૈંઁન્ની આગામી આવૃત્તિમાં દિલ્હી કેપિટલ્સને તેમનું જ્ઞાન અને અનુભવ આપવાનો પ્રયાસ કરશે.

અહેવાલો અનુસાર, વાસ અને મિશ્રાની જાેડીએ કોચ તરીકેની તેમની ભૂમિકા સંભાળી લીધી છે અને હાલમાં તેઓ દિલ્હીમાં દિલ્હી કેપિટલ્સની એકેડેમીના ખેલાડીઓ સાથે પણ કામ કરી રહ્યા છે. નવી સિઝન પહેલા આ જાેડી દિલ્હી કેપિટલ્સ પર સકારાત્મક અસર પાડી શકે છે કે કેમ તે જાેવું રસપ્રદ રહેશે.

દિલ્હી કેપિટલ્સ માટે ૨૦૨૬ની સિઝન નિરાશાજનક રહી હતી.

IPL ૨૦૨૬ની વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સે ફરી એકવાર સકારાત્મક શરૂઆત કરી હતી, પરંતુ સિઝન દરમિયાન ટીમનું પ્રદર્શન લથડી ગયું હતું. ટીમ ફરી એકવાર ટુર્નામેન્ટના નોકઆઉટ તબક્કામાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી અને ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ હતી.

ટીમ પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. રમાયેલી ૧૪ મેચોમાં, દિલ્હી કેપિટલ્સે ૭ મેચ જીતી હતી અને ૭માં હારનો સામનો કર્યો હતો, જેનાથી તેઓ ૧૪ પોઈન્ટ સાથે પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જેવી ટીમોથી પાછળ રહી ગયા હતા.

હજુ પણ તેમના પ્રથમ IPL ટાઇટલની શોધમાં રહેલી દિલ્હી કેપિટલ્સ માટે IPL ૨૦૨૭ની સિઝન શું લઈને આવે છે અને કોચિંગ સ્ટાફમાં થયેલા ફેરફારો ટીમમાં કોઈ બદલાવ લાવી શકે છે કે કેમ, તે જાેવું રસપ્રદ રહેશે.