સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરનાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર કે જે માત્ર સાવરકુંડલા જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની એક બેનમૂન આરોગ્ય સેવા ક્ષેત્રે ભગીરથ કાર્ય કરતી સંસ્થા છે. આ આરોગ્ય મંદિર સાચાં અર્થમાં એક સેવાધામ છે જે અહીં આવતાં તમામ દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરે છે. આમ તો નાતજાતના ભેદભાવ વગર માત્ર દર્દીઓને ના રાયણનું સ્વરૂપ સમજી સેવા એ જ સાધના નાં જીવનમંત્ર સાથે કાર્ય કરે છે.
આ સંસ્થાના સહમંત્રી તરીકે સેવા આપતાં શ્રી ભરતભાઈ જોષીનો આજે જન્મદિવસ છે. તેમનાં જન્મદિવસ નિમિત્તે શહેરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ શુભકામના પાઠવી રહ્યા છે. ઈશ્વર તેને દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન અર્પે અને જીવનનાં વિકાસનો સર્વોત્તમ શિખરો સર કરે એવી શુભેચ્છા સહ.. જન્મદિવસની ખોબલે ખોબલે શુભકામનાઓ.


