Gujarat

  ડીસા જલારામ મંદિરે સંકલ્પ દાન કરી રાજીપો અનુભવતા દાતા  કનૈયાલાલ ઠકકર

 ગિરગઢડા
   ભરત ગંગદેવ
  ડીસા જલારામ મંદિર દ્રારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થાય છે.”ભૂખ્યાને ભરપેટ ભોજન” એ જલારામ મંદિર ડીસાનો મુખ્ય હેતુ છે.શ્રી જલારામ ભોજનાલય અને અન્નક્ષેત્રમાં અનેક દાતાઓનો હૂંફાળો,માયાળુ અને પ્રેરણાદાયી સહયોગ છે.તાજેતરમાં લાખણી તાલુકાના જડિયાલીના વતની અને હાલ ડીસા રહેતા જલારામ ભકત કનૈયાલાલ ચેનારામજી ઠકકરે કરેલ સંકલ્પ અનુસંધાને તેમણે જલારામ મંદિર ડીસાને રૂપિયા 1,11,111(એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર) અર્પણ કરી અત્યંત રાજીપો અનુભવ્યો હતો.જલારામ મંદિર ડીસા દ્રારા તેમનું સાલ ઓઢાડી જલારામ દર્શન પુસ્તક અર્પણ કરી ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું.
  આ અવસરે જલારામ સેવકો સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,નટુભાઈ આચાર્ય ,દિનેશભાઈ ચોક્સી,ભરતભાઈ ઝાબવાળા, આનંદભાઈ પી.ઠકકર, મફતલાલ મોદી,નાથાલાલ ખત્રી,આર.ડી.ઠકકર, ચંદુભાઈ એટીડી,મહેશભાઈ ઉડેચા,દીલીપભાઈ બારોટ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી દાતા કનૈયાલાલ ઠકકર ને અભિનંદન આપી સન્માન કર્યું હતું.દાતા કનૈયાલાલ અગાઉ વિરપુર પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરવા ગયેલ પણ ત્યાં પરંપરા અને નિયમ મુજબ પ્રેમથી દાનનો અસ્વીકાર કરીને સ્થાનિક લેવલે વાપરવા સૂચના મળતાં તેઓએ આ સંકલ્પ દાન જલારામ મંદિર ડીસાને અર્પણ કરીને રાજીપો અનુભવ્યો હતો..
Attachments area

IMG-20220101-WA0808.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *