અમરેલી શહેરમાં આવેલ માતૃશ્રી મોંઘીબા કોલેજમાં વિદ્યાર્થીનીઓના સમયમાં ફેરફાર આ બાબતે છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ પર શાસન સામે વિરોધ જોવા મળી રહ્યો છે આંદોલનકારી વિધાર્થીઓ ની કોલેજ પ્રશાસન તરફથી માત્ર ખોટા પોકળ વાયદાઓ કરવામાં આવે છે પરંતુ આજદિન સુધી આ બાબતને લઇને કોઇ યોગ્ય નિરાકરણ હજુ સુધી કોલેજ પ્રશાસન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંદોલનને વિદ્યાર્થીઓ દ્વારા વધુ જલદ બનાવવાના આજે કોલેજ પ્રશાસનને સદબુદ્ધિ આપે તે માટે એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આ હવનનો હેતુ માત્ર એટલો હતો કોલેજ પ્રશાસનના કાન સુધી વિદ્યાર્થીઓનો પ્રશ્ન પોહચે આજે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હોલમાં બહુ મોટી બોહડી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ હવન નું આયોજન કર્યું હતું વિદ્યાર્થીઓના મક્કમ આંદોલનને જોઈને કોલેજના પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીઓને ખાતરી અપાઈ હતી કે કોલેજની સમયમાં ફેરફાર કરી આપશે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


