Uttar Pradesh

બરેલીમાં જે.પી.નડ્ડા ડોર-ટુ-ડોર અભિયાનની શરૂઆત કરશે

ઉતરપ્રદેશ
ઉત્તરપ્રદેશની ચૂંટણી દરમિયાન નડ્ડાનો આગ્રા પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે રાજ્યના પ્રથમ ચરણનું મતદાન ૧૦ ફેબ્રુઆરીએ થવાનું છે અને આ પહેલા પાર્ટી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ચૂંટણી પંચે રેલીઓને મંજૂરી આપી નથી. નડ્ડા ઓછા પાર્ટી પદાધિકારીઓની સાથે બેઠક કરશે, હાલમાં ભાજપ કાર્યકર્તાઓએ જે.પી.નડ્ડાના સ્વાગતની તૈયારીઓ પૂરી કરી લીધી છે. ત્યારે પાર્ટીએ પણ કોવિડ પ્રોટોકોલના કારણે ખુબ જ ઓછા કાર્યકર્તાઓને પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. તેની સાથે જ નડ્ડા આજે બરેલીનો પણ પ્રવાસ કરશે. જ્યાં તે ડોર-ટૂ-ડોર અભિયાનની શરૂઆત કરશે. તેની સાથે જ તે પાર્ટી પદાધિકારીઓની સાથે બેઠક કરશે. રાજ્યમાં ૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં મોટી જીત મળી હતી અને તેમાં બ્રજ ક્ષેત્રની પણ મહત્વની ભૂમિકા છે. તેથી, પાર્ટી આ વખતે પણ ભૂતકાળની કામગીરીનું પુનરાવર્તન કરવા માંગે છે. ભાજપ નેતાઓ મુજબ આજે નડ્ડા બરેલીમાં પણ ડોર-ટૂ-ડોર અભિયાનમાં ભાગ લેશે. મળતી જાણકારી મુજબ આજે નડ્ડા સૌથી પહેલા રાજેશ્વર મહાદેવ મંદિર જશે. આ પ્રાચીન મંદિર છે અને શિવ ભક્તોની આસ્થાનું મોટુ કેન્દ્ર માનવામાં આવે છે અને દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં એક મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે.ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીની વચ્ચે આજે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આગ્રાના પ્રવાસ પર છે. તે પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને જીતવા માટેનો મંત્ર આપશે. રાજ્યમાં આચારસંહિતા લાગુ થયા બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે. જ્યારે આ પહેલા નડ્ડા ઘણી વખત રાજ્યના પ્રવાસ પર આવી ચૂક્યા છે અને સંગઠનની બેઠકમાં ભાગ લઈ ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ્રા પહોંચી જે.પી.નડ્ડા સૌથી પહેલા શમશાબાદ રોડ પર રાજેશ્વર મહાદેવ મંદિર જશે અને ત્યારબાદ તે રમાડામાં આગ્રા અને અલીગઢ મંડળની ૪૦ વિધાનસભા સીટની સંગઠનાત્મક બેઠક લેશે અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે.

BJP-J-P-Nadda.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *