નવીદિલ્હી
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ભાડાના મકાનો અને દુકાનો પર ૧૨ ટકા ય્ર્ર્ઙ્ઘજ ટ્ઠહઙ્ઘ જીીદિૃૈષ્ઠીજ ્ટ્ઠટ – ય્જી્ વસૂલવા જઈ રહી છે. દાવામાં કહેવામાં આવ્યું છે કે ય્જી્ કાઉન્સિલની આગામી બેઠકમાં ૧૨ ટકા ય્જી્ ટેક્સનો નિયમ લાગુ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવામાં કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણની તસવીર જાેડાયેલ છે. જાે કે, સરકારે આ દાવાને નકારી કાઢ્યો છે અને તેના પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. સરકારી પ્રેસ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. પીઆઈબીએ તેના ફેક્ટ ચેકમાં કહ્યું છે કે નાણામંત્રીએ જીએસટીને લઈને આવો કોઈ ર્નિણય લીધો નથી. તે સાચું છે કે ય્જી્ કાઉન્સિલની બેઠકો સમયાંતરે યોજાય છે જેમાં ય્જી્ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. પરંતુ એવા કોઈ સંકેત નથી કે સરકાર ભાડાના મકાનો અને દુકાનો પર ૧૨ ટકા ય્જી્ વસૂલવાનું વિચારી રહી છે. ય્જી્ની બેઠકમાં ઘણી વખત ય્જી્ના દરોમાં ફેરફાર કરવાનો ર્નિણય લેવામાં આવે છે. આવું પણ અનેક પ્રસંગોએ જાેવા મળ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે ક્યારેક ફેક મેસેજ પણ ફરતા થાય છે. ૧૨ ટકા જીએસટી સાથેનો મેસેજ પણ આ જ શ્રેણીનો છે. વાયરલ મેસેજમાં ભાડાના મકાનો અને દુકાનો પર ૧૨ ટકા ય્જી્ લાદવાનું કહેવામાં આવ્યું છે, જેના કારણે મકાનમાલિકોમાં ચિંતા વધી ગઈ છે. આ ચિંતાને દૂર કરતાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે ૧૨ ટકા જીએસટી લાદવાની કોઈ યોજના નથી અને સરકારી સ્તરે આવી કોઈ તૈયારી નથી. સરકાર વતી પીઆઈબીએ પોતાના ફેક્ટચેક ટ્વીટમાં લખ્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો અને નકલી છે. નાણામંત્રીએ ય્જી્ કાઉન્સિલની આગામી બેઠક અંગે આવો કોઈ ર્નિણય લીધો નથી. ઁૈંમ્એ લોકોને આવી ભ્રામક અને અફવા ફેલાવતી પોસ્ટથી દૂર રહેવાની સલાહ આપી છે. ઁૈંમ્એ કહ્યું કે લોકોએ આવી પોસ્ટ શેર કરવાથી બચવું જાેઈએ. ય્જી્ ફક્ત ત્યારે જ લાગુ થાય છે જ્યારે તે મકાન વાણિજ્યિક હેતુઓ માટે ભાડે આપવામાં આવે. કોઈપણ કોમર્શિયલ જગ્યા કે જે ભાડા પર આપવામાં આવે છે, તે ૧૮ ટકાના દરે ય્જી્ને પાત્ર છે. કરપાત્ર મૂલ્ય પર ૧૮% કર લાદવામાં આવે છે અને તેને સેવાના કરપાત્ર પુરવઠા તરીકે ગણવામાં આવે છે.
