સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં રિદ્ધિ સિદ્ધિ ચોક નાવલી પોલીસ ચોકી પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અમરેલી સાંસદ નારણભાઇ
કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ઉપપ્રમુખ સુરેશ ભાઈ પાનસુરીયા, જિલ્લા અનુસૂચિત મોરચાના પ્રમુખ કેશુભાઈ વાઘેલા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખપતિ રાજુભાઈ દોશી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ વાઘેલા તેમજ સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા ફુલહાર કર્યા હતાં. આ તકે સાંસદે ડો. બાબાસાહેબનાં જીવનનાં આદર્શોને પણ ખૂબ ભાવપૂર્વક યાદ કર્યાં હતાં


