હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામ સમસ્ત દલિત સમાજ દ્વારા દેશના ઘડવૈયા એવા શ્રી ડો.બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ઘંટીયા થી પ્રાચી ગામ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સમસ્ત દલિત સમાજ દ્વારા રાત્રે લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બટુક ભોજન અને સમૂહ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઘંટીયા પ્રાચી ના ગામના આગેવાનો તેમજ સમસ્ત દલિત સમાજ બહોળી સંખ્યા મા હાજર રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગ્રુપ દ્વારા સર્વે નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગ ને સફળ બનાવવા સમસ્ત દલિત સમાજે જહેમત ઉઠાવી હતી


