મુંબઈ
દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના આજે ૬૫મો જન્મદિવસ છે. દેશના સૌથી ધનિક લોકોમાંના એક મુકેશ અંબાણી વિશ્વના સૌથી મોટા અમીરોની યાદીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા દેખાય છે. લાયન્સ ઈન્ડસ્ટ્રીઝને આ નામની ઓળખ ભલે ૧૯૮૫માં મળી હોય, પરંતુ તેના બિઝનેસના આ વારસાનો પાયો ઘણા સમય પહેલા મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ નાખ્યો હતો. અને રિલાયન્સને આજે આપણે જે રીતે જાેઈએ છીએ તે લાવવામાં મુકેશ અંબાણીનો શ્રેય ખૂબ મોટો છે.રિલાયન્સનો પાયો ભલે મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ નાખ્યો હોય, પરંતુ આ કંપની આજે જે સ્થાને છે ત્યાં સુધી લઈ જવાનો શ્રેય મુકેશ અંબાણીને જાય છે. આખરે અંબાણીએ આટલી મોટી કંપની કેવી રીતે ઉભી કરી, જેના પર આજે એક રૂપિયાનું પણ દેવું નથી. મુકેશે ૧૮ વર્ષની ઉંમરે પિતા ધીરુભાઈ (સ્ેાીજર છદ્બહ્વટ્ઠહૈ)સાથે કામ કરવાનું શરૂ કર્યું. આ માટે તેણે કોલેજનો અભ્યાસ પણ અધવચ્ચે જ છોડી દીધો હતો. ૧૯૮૧માં રિલાયન્સ ગ્રુપ પોલિએસ્ટરથી આગળ વધીને પેટ્રોલિયમ અને કેમિકલ સેક્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું. આ પછી કંપનીના દિવસો બદલાવા લાગ્યા. આ પ્રવાસ દરમિયાન મુકેશ તેના પિતા સાથે રહ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને તેનું વર્તમાન નામ ૧૯૮૫માં મળ્યું. ૨૦૦૨માં જ્યારે ધીરુભાઈનું અવસાન થયું ત્યારે મુકેશ અને તેમના નાના ભાઈ અનિલ અંબાણી વચ્ચે બિઝનેસનું વિભાજન લગભગ નિશ્ચિત હતું. વર્ષ ૨૦૦૫માં બિઝનેસના વિભાજન પછી મોટા પુત્ર મુકેશને વારસામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નામ મળ્યું, જ્યારે નાના ભાઈ અનિલ અંબાણીએ એક અલગ ગ્રુપ ‘રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ’ બનાવ્યું. મુકેશ અંબાણી વર્ષ ૨૦૦૫માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી બન્યા હતા. તે પછી તેણે ઘણા નવા ક્ષેત્રોમાં હાથ અજમાવ્યો. આમાં સૌથી મોટો ર્નિણય રિટેલ સેક્ટરમાં પ્રવેશ કરવાનો હતો, કંપનીએ આ સેક્ટરમાં રિલાયન્સ ફ્રેશ સ્ટોર નામથી કામ કરવાનું શરૂ કર્યું. બાદમાં તેનો વ્યાપ એપેરલથી લઈને ઈલેક્ટ્રોનિક્સ અને જ્વેલરી સુધી વિસ્તર્યો. આજે, રિલાયન્સ રિટેલ દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક છે અને તાજેતરમાં તેણે ફ્યુચર રિટેલને હસ્તગત કરવા માટે રૂ. ૨૪,૭૧૩ કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. હાલ આ મામલો કોર્ટની કાર્યવાહીમાં અટવાયેલો છે. વર્ષ ૨૦૦૫માં બંને ભાઈઓના વિભાજન બાદ ટેલિકોમ બિઝનેસ અનિલ અંબાણીના ખાતામાં ગયો. પરંતુ મુકેશ અંબાણી હંમેશા ટેલિકોમ સેક્ટરમાં કામ કરવા માંગતા હતા. વિભાજન પહેલા આ રિલાયન્સ ઈન્ફોકોમ માટે જે કંપની બનાવવામાં આવી હતી, તેમાં પણ ૫૦ ટકા હિસ્સો મુકેશ અને ૫૦ ટકા નીતા અંબાણીનો હતો, તે દર્શાવે છે કે તેમને આ બિઝનેસમાં કેટલો રસ હતો. જાે કે, વિભાજનની શરતો અનુસાર, જ્યારે મુકેશ અંબાણીને ટેલિકોમ સેક્ટરમાં કામ કરવું યોગ્ય લાગ્યું, ત્યારે તેમણે ત્ર્નૈ ૈંહર્કર્ષ્ઠદ્બની શરૂઆત કરી. આ સમયે માર્કેટમાં ત્ર્નૈ દ્ગીર્ંિાનો દબદબો છે કે દેશમાં મોટાભાગના ગ્રાહકો ત્ર્નૈના છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ સમયે દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક છે, પરંતુ તે એક એવી કંપની પણ છે જેના પર હવે કોઈ દેવું નથી. જુલાઈ ૨૦૨૦ માં, કંપનીની એજીએમમાં, મુકેશ અંબાણીએ રિલાયન્સની નેટ ડેટ ફ્રી કંપની બનવાની જાહેરાત કરી હતી. નેટ ડેટ ફ્રીનો અર્થ એ નથી કે કંપની પર કોઈ દેવું નથી, પરંતુ તેનો અર્થ એ છે કે કંપનીએ લોન પર જેટલી રકમ એકત્ર કરી છે, તેની પાસે સમાન મૂલ્યની સંપત્તિ છે. યોગ્ય સમયે યોગ્ય ર્નિણય લેવાની મુકેશ અંબાણીની નીતિએ કંપનીને દેવું મુક્ત કરવામાં કામ કર્યું. જિયો પ્લેટફોર્મ માટે ફેસબુક, ગૂગલ સાથે ડીલ કરવી કે પછી રાઈટ્સ ઈશ્યુ લાવવા, આ બધા કારણો કંપનીને દેવું મુક્ત કરવામાં મદદરૂપ થયા.


