International

ચીનમાં ઉઈગર મુસ્લિમને સુવા પણ દેવામાં આવતા નથી કરંટ આપવામાં આવે છે

ચીન
ચીનના શિનજિયાંગમાં સુરક્ષા દળો દ્વારા ધરપકડ કરાયેલા તમામ ઉઇગર મુસ્લિમોને ત્રાસ આપવા માટે ખુરશી સાથે બાંધીને રાખવામાં આવ્યા છે. તેમને મારવાથી ત્રાસ શરૂ થાય છે. પોલીસકર્મીઓએ તેમને લાતો અને મુક્કાથી માર્યા. મોટાભાગના આવા કિસ્સાઓમાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. કેટલાક કિસ્સાઓમાં માર મારવાને કારણે લોકોની આંખોની રોશની જતી રહે છે. યાતનાનો આગળનો તબક્કો પીડિતોને ઊંઘવા ન દેવાનો છે. હલકી ઝબકી લેવા બદલ પણ તેમને એટલા મારવામાં આવે છે કે તેઓ હોંશ ગુમાવી દે, અને પછી તેઓને ભાનમાં લાવવામાં આવે છે અને ફરીથી મારવામાં આવે છે. ઘણા પોલીસકર્મીઓ પીડિતોના પગ તોડવા માટે હથોડાનો ઉપયોગ કરે છે, જેથી તેઓ અસ્થાયી રૂપે અન્ય પર ર્નિભર રહે છે. આટલું જ નહીં, ઉઇગરોને ભાગી જવાના ડરથી ટોઇલેટ જવા દેવામાં આવતા નથી. યાતનાના ત્રીજા તબક્કામાં, ઉઇગર્સના ગુપ્તાંગ પર કરંટ આપવામાં આવે છે. મહિલાઓ માટે અત્યાચારની એક પદ્ધતિ એ છે કે તેમના હાથને હથકડીથી બાંધવામાં આવે છે અને પછી વારંવાર તેમના હાથને ટેબલ પર પછાડવામાં આવે છે. થોડીવાર પછી, તેમના હાથ લોહીથી લથપથ થઇ જાય છે. ૧૪ વર્ષના બાળકો પણ આ ત્રાસનો શિકાર બનતા જાેવા મળ્યા છે. ખાસ કરીને ઉઇગર બાળકોને માત્ર એટલા માટે સજા આપવામાં આવે છે કારણ કે તેઓ મુસ્લિમ છે. જાે કોઈ ઉઇગર તેની ગરીબી માટે અપીલ કરે છે અથવા તો શિનજિયાંગમાંથી બહાર નીકળવાની અપીલ કરે છે, તો તેની ધરપકડ કરવામાં આવે છે. ઉઇગર મુસ્લિમોને રોકવા માટે શહેરમાં દર ૩૦૦ થી ૫૦૦ પગલા પર એક પોલીસ ચોકી બનાવવામાં આવી છે.ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમોના નરસંહારના સમાચારે આખી દુનિયાને હંમેશા પરેશાન કરી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંસ્થા અને પશ્ચિમી દેશો વારંવાર ચીન પર ઉઇગર મુસ્લિમોના માનવાધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવે છે. આને ધ્યાનમાં રાખીને, માનવ અધિકાર પંચ ચીનની મુલાકાત લેવા માંગતું હતું અને હવે તેમને શી જિનપિંગની સરકારે મંજૂરી આપી છે. તો ચાલો જાણીએ કે ચીનમાં ઉઇગર મુસ્લિમો પર કેવા પ્રકારના અત્યાચારો થાય છે.

In-China-Uyghur-Muslims-are-punished-with-electric-shocks.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *