રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા નવતેજ કશુંબલ ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે આઝાદી ના અમૂર્ત મહોત્સવ અંતર્ગત દેશભક્તિ ગીતો અને શૌર્યગીત નો લોકસાસ્કુંતિક કાર્યક્રમ લોકડાયરો મહુધા તાલુકાના મીયાપુર ખાતે યોજાયો આ પ્રસંગે ઉપસ્થિત કલાકારોમાં જાણીતા ફિલ્મ એકટર એન.સી.ચૌહાણ તથા અલ્કા રાઠોડ, રાજુભાઈ ઉપદેશી,શામળદાસ બારોટ,હસમુખ ભાટીયા, કમલેશ સોલંકી,જનકસિહ ડાભી,દિનેશ વાઘેલા સાથે સંગીત ટીમ દ્વારા દેશભક્તિ ગીતો અને શૌર્યગીત નો લોકસાસ્કુંતિક ડાયરામાં ઉપસ્થિત ગ્રામજનો ને મનોરંજન પૂરું પાડયું હતું.
કાર્યક્રમ ની શરૂઆતમાં નવતેજ કસુંબલ ગ્રપ મુખ્ય સંચાલક યુવા કલાકાર મહીપતસિંહ એન. ચૌહાણ દ્વારા આઝાદીના ઘડવૈયા વિશે વિષેશ માહિતી પુરી પાડી હતી. જયારેપ્રાસંગિક પ્રવચન માં અતિથિ વિશેષ મુખ્ય મહેમાન ભરતસિંહ અર્પણ કરી હતી.
કાર્યક્રમ માં ભારતસિંહ પરમાર ક્ષત્રિય સમાજ સનાતન ધર્મ અને વેદ ડાકોર સામિજિક સંસ્થા ( ગાયોના વાડા પાસે) ના પ્રમુખ , મહુધા તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ રાયસિંગભાઈ પરમાર, ગામના દિપકભાઈ સરપંચ , મહામંત્રી નરસિહ ભોજાણી, જિલ્લા બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ ગોવિંદભાઈ શર્મા,ઉપપ્રમુખ પટેલ ગોવિંદભાઈ,સોશિયલ મીડીયા ના કાર્યકર ચૌહાણ હેમરાજભાઈ તથા અન્ય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.


