મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરેના નામે લખાયેલા આ પત્રમાં બળવાખોર ધારાસભ્યોની ભાવનાઓનો ઉલ્લેખ કરતા નારાજગીના કેટલાક કારણો જણાવવામાં આવ્યા છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે પાર્ટીના કેટલાક વિધાયકોને બાદ કરતા બાકીનાનું અપમાન કરવામાં આવતું હતું. આ વિધાયકોએ પણ કહ્યું કે ક્ષેત્રના વિકાસ માટે મળનારી વિધાયક નીધિ અંગે પણ તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ઉદ્ધવ ઠાકરેના નામે લખાયેલા આ ઓપન લેટરમાં વધુમાં લખ્યું છે કે જ્યારે આદિત્ય ઠાકરે અયોધ્યા જઈ રહ્યા હતા તો બાકીના વિધાયકોને અયોધ્યા જતા કેમ રોકવામાં આવ્યા. આ પ્રકારે આ પત્રમાં અનેક એવા મુદ્દાઓનો ઉલ્લેખ છે કે જેને હાલના પેદા થયેલા સંકટનું કારણ જણાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે ખરા અર્થે બંગલાના દરવાજા ઉઘડ્યા, જે ગત અઢી વર્ષથી ધારાસભ્યો માટે બંધ કરાયા હતા, ભીડ જાેઈને આનંદ થયો કેટલાક કથિત ચાણક્યકાર રાજ્યસભા અને વિધાનસભા પરિષદના ર્નિણયો લેતા હતા શિવસેનાના મુખ્યમંત્રી છતા અમને ક્યારેય બંગલામાં પ્રવેશ ન મળ્યો, ધારાસભ્યોને ગેટ પર ઉભા રખાતા. અમે લોકોના પ્રશ્નો લઈને જતા તો અંદર પ્રવેશ ન અપાતો. એવા સમયે માત્ર એકનાથ શિંદેનો દરવાજાે અમારા માટે ખુલ્લો હતો. તેઓ અમને સાંભલતા અને સકારાત્મક માર્ગ કાઢતા. ધારાસભ્યોના ર્નિણય માટે જ અમે આ રીત અપનાવી. હિન્દુત્વ, અયોધ્યા, રામમંદિર શિવસેનાના મુદ્દા છે તો અમને અયોધ્યા જતા કેમ રોકાયા. આદિત્ય ઠાકરે ગયા તો અમને ફોન કરીને જવા કેમ ના પાડી. મુખ્યમંત્રીએ અયોધ્યાથી પરત આવાવ સૂચના આપી. અમે સામાન લઈને પરત ફર્યા. રાજ્યસભા પસંદગી સમયે શિવસેનાના એક પણ મત ફૂટ્યા ન હતા, તો વિધાન પરિષદને તૂટવા પર અમારા પર અવિશ્વાસ કેમ દાખવ્યો. અમને રામલલ્લાના દર્શન ન કરવા દીધા. અમને પ્રવેશ ન મળતો, પણ કોંગ્રેસના રાષ્ટ્રવાદીના લોકોને તમે નિયમિત મળતા. તમારી સાથે ફોટો પડાવતા. અમને મતદારો પૂછતા કે મુખ્યમંત્રી તમારા છે તો તમને કેમ નથી મળતા. મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જાેવા મળી રહી છે. આ બધા વચ્ચે એક શિવસેના વિધાયકનો પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેણે શિવસેનાના બાકી વિધાયકોની ભાવનાઓનું પ્રતિક ગણવામાં આવી રહ્યો છે. હકીકતમાં ઉદ્ધવ ઠાકરે સાથે અનેક મુદ્દે નારાજ એક વિધાયકે જ્યારે સીએમ ઠાકરેના નામે એક ખુલ્લો પત્ર લખ્યો તો તેને શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ શેર કરીને ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર ફેંક્યો છે.


