ગુજરાત સરકાર તથા નયારા એનર્જીના સંકલનથી દેવભૂમિ દ્વારકામાં કાર્યરત પ્રોજેક્ટ તુષ્ટિ (અમલીકરણ સંસ્થા જેએસઆઇ આર. એન્ડ ટી. ઈન્ડિયા ફાઉન્ડેશન, દિલ્હી અને આઈ.આઈ.પી.એચ.,ગાંધીનગર)દ્વારા જિલ્લાને કુપોષણ અને એનિમિયા મુક્ત કરવા તથા લોકોના જીવનશૈલી સુધરવાના ભાગ રૂપે પોષણ તથા આરોગ્યલક્ષી અધ્યતન માહિતી ઘર આંગણે લાભાર્થીઓને વિનામુલ્યે મળી રહે તેવા ઉમદા હેતુથી પોષણ પરામર્શ – પોષણ સખી (ન્યુટ્રીશન- આઇવીઆરએસ) ટોલ ફ્રી નં. 1800 419 7799 ની સેવા શરુ થયેલ છે, જે અર્થે આજ રોજ માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી-જાડેજા સાહેબ, શ્રી અવિનાશ રાવલ – નયારા એનર્જી, શ્રી નીરજ અગ્રવાલ-જેએસઆઇ-આરટી ઈન્ડિયા ફાઉન્ડેશન, દિલ્હી તથા પ્રોજેક્ટ તુષ્ટિના પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત યોજવામાં આવેલ. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ સેવાનો લાભ વધુમાં વધુ લાભાર્થીને મળે તે માટે સાહેબ શ્રી મારફત આશીર્વચન પાઠવવામાં આવેલ.

