પ્રાપ્ત વિગતો અનુસાર સંખેડા પાસે આવેલ નાગરવાડા ગામ પાસેથી ઉચ્છ નદી પસાર થાય છે.આ નદી પર અંગ્રેજોએ એક સદી પહેલા રેલ્વેનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે અનેક ગામોમાં પાણી ભરાયા હતા.પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી.ત્યારે ઉચ્છ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.પાણી આવવાના કારણે આ રેલ્વેનો બ્રિજનો અર્ધો ભાગ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે.આ પાણી આવવાના કારણે નદી કિનારા પણ પાણીમાં ધોવાઈ ગયા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

