વેરાવળ પાટણ સયુકંત નગરપાલિકા તંત્ર દ્વારા સિટી બસ સેવા બાબતે રજુઆત નો ફિયાસ્કો થયો હતો જેમાં સોમનાથ થી વેરાવળ અવર જવર રહેતી હોય છે ત્યારે વડીલો માતાઓ બહેનો સીનીયર સીટીઝનો ને ધ્યાન માં રાખી સીટી બસ સેવા જરૂરી હોય પણ આ બાબતે તંત્ર ને કોઈ પણ પ્રકાર ની સિટી બસ સેવા કામગીરી માટે ઇન્ટ્સ ન હોવાને કારણે લાખો રુપિયા ની ૩ બસો પણ ભંગાર હાલતમાં જોવા મળે છે અને વધુ માં હાલ થોડા દિવસો માં જ પવિત્ર શ્રાવણ મહિનો શરુ થઇ રહયો હોય ત્યારે સતાધીશો તો પોતાની એરકંડીશન ગાડી માં સોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે જય શક્શે પણ માધ્યમ વર્ગ ના નાગરિક માટે ભાવિકો ને સિટી બસ સેવા આપી શક્શે ખરા વેરાવળ સોમનાથ માં સીટી બસ સેવા ના બસ સ્ટોપો બન્યા છે જેમાં સિટી બસ સેવા જે ખરેખર દરેક વર્ગ સિનિયર સિટીઝનો વડીલો માતાઓ બહેનો તેમજ વિધાર્થિઓ માટે ખુબ જ જરૂરી હોય પણ આ બાબતે નગર પાલિકા તંત્ર દ્વારા તસ્દી લેવામાં આવેલ ન હોય તો આ બાબતે મોઘા રિક્ષા ભાડા ખર્ચી ને જોખમી મુસાફરી કરી જવાની નોબત આવે છે તયારે નગરપાલિકા ના સતાધીશો નિદ્રા માં હોય જેથી પવિત્ર શ્રાવણ મહિના માં પણ સિટી બસ સેવા ઉપલબ્ધ કરવામાં તસ્દી નથી લેતા
