ગિરગઢડા
ભરત ગંગદેવ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ ની સ્થાપના ને 75વરસ પૂર્ણ થાય છે ત્યારે તેની સંસ્થાન ઊના માં આવેલ આનદગઢ ગુરુકુલ દ્વારા ટીંબી ગામે શાણાવાંકીયા રોડ પાસે શીતળા માતાજી ના મંદિર ના સાનિધ્ય માં નદી કિનારે જલ જીલની ઉત્સવ ઉજવાયો હતો જેમાં બાબરિયાવાડ નાઘેર પંથક માંથી 6000થી વધુ હરિ ભક્તો પધારેલા હતાં ઉત્સવ માં રાજકોટ ગુરુકુલ થી પુ.પા. મહંત સ્વામી શ્રી દેવપ્રશાદજી સ્વામી જુનાગઢ વર્નિદ્ર ધામ, મુંબઈ, રાજકોટ,સુરત, નીલકંઠ ધામ વિગેરે ગુરુકુલ થી સંતો પધારી દર્શન વાર્તા, કીર્તન અને આશીર્વાદ આપેલ હતા, સુંદર શાણગારેલ હોડી માં સંતો એ ઠાકોરજી ને બેસાડી નૌકા વિહાર કરાવેલ અને જળ જીલાવિયું હતું તેમજ ગૌ માતા નું પૂજન , રક્ત દાન કેમ્પ યોજાયો હતો બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ મહાપ્રસાદ યોજાયો હતો


