Gujarat

વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદરમાં રાજ્યકક્ષાના ૮મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર‘નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી, પણ પૃથ્વીની જીવનરેખા છે; તેને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે- મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર‘નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું […]

Gujarat

કેબિનેટ મંત્રીશ્રી અર્જુન મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ, જાેડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

ધ્રોલ ખાતે રૂ. ૬.૬૩ કરોડના ખર્ચે નિર્મિત થશે આધુનિક એસ.ટી. ડેપો વર્કશોપ, જાેડિયા ખાતે રૂ. ૫.૩૫ કરોડના ખર્ચે આકાર પામશે નવીન એસ.ટી. બસ સ્ટેશન રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ધ્રોલ ખાતે રૂ. ૬.૬૩ કરોડના ખર્ચે નિર્મિત થનાર […]

Gujarat

અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલી ૪ મહિલા મુસાફરો પાસેથી ૧.૫૨ કરોડ રૂપિયાની કિંમતનું ૨૪ કેરેટ સોનું જપ્ત

અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર ગેરકાયદેસર રીતે લાવામાં આવતું સોનું પકડાયું છે જેમાં, જેદ્દાહથી આવેલી ચાર મહિલા મુસાફરો પાસેથી ૧.૫૨ કરોડ રૂપિયાની કિંમતનું ૨૪ કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તસ્કરોએ સોનાને ઓળખાય નહીં તે રીતે તેના પર રોડિયમનું પડ ચઢાવ્યું હતું, પરંતુ કસ્ટમ્સ અધિકારીઓની સતર્કતાએ આ આખા ખેલનો પર્દાફાશ કર્યો હતો. ૧ ફેબ્રુઆરીના રોજ […]

National

રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસ: પાંચ શંકાસ્પદોની ઓળખ અને ફોટા જાહેર કરાયા

રવિવારે વહેલી સવારે મુંબઈમાં બોલિવૂડ ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાન બહાર ચાર ગોળીબાર કરવામાં આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. ગોળીબાર વહેલી સવારે થયો હતો, જેના પગલે ઇમારતની બહાર સુરક્ષા કડક કરવામાં આવી હતી. આ દરમિયાન, જુહુ પોલીસે રોહિત શેટ્ટીનું નિવેદન નોંધ્યું હતું. ગોળીબાર બાદ, જુહુ વિસ્તારમાં […]

National

સસ્પેન્શનના એક મહિના પછી નવજાેત કૌર સિદ્ધુએ કોંગ્રેસ છોડી; કહ્યું પંજાબ એકમના વડા ‘અક્ષમ, ભ્રષ્ટ‘

કોંગ્રેસ નેતા નવજાેત કૌર સિદ્ધુએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે, તેમણે પંજાબ કોંગ્રેસના વડા અમરિંદર સિંહ રાજા વારિંગ પર આકરા પ્રહારો કર્યા છે, જેમના પર તેમણે સંગઠનને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને “અત્યાર સુધીના સૌથી ભયાનક, અસમર્થ, ભ્રષ્ટ પ્રમુખ” ગણાવ્યા હતા. નવજાેત કૌરને ગયા મહિને કોંગ્રેસની પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ […]

National

પીએમ મોદીએ પંજાબના આદમપુર એરપોર્ટનું નામ ગુરુ રવિદાસના નામ પર રાખ્યું, કહ્યું ‘તેમણે સમાજને એક કર્યો‘

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પંજાબના આદમપુર એરપોર્ટનું નવું નામ શ્રી સંત ગુરુ રવિદાસજી એરપોર્ટ રાખ્યું, જે આદરણીય સંતનું ૬૪૯મી જન્મજયંતિ પર સન્માન છે. આ ઉપરાંત, તેમણે લુધિયાણામાં હલવારા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કર્યું, જે સરકારના મતે, રાજ્યમાં ઉડ્ડયન માળખાગત સુવિધામાં વધારો કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ, પંજાબના મુખ્યમંત્રી […]

Entertainment

રોહિત શેટ્ટીના જુહુના ઘરની બહાર ગોળીબારની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી

બોલિવૂડના જાણીતા દિગ્દર્શક અને નિર્માતા રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાન બહાર થયેલા ગોળીબારની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. મીડિયા સાથે વાત કરતા પોલીસ અધિકારીઓએ આ ઘટનામાં સંડોવાયેલા ઓછામાં ઓછા પાંચ લોકોની અટકાયત કરી છે. બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર હુમલાની જવાબદારી સ્વીકારી છે, જ્યારે મુંબઈ પોલીસ આ દાવાની ચકાસણી કરવા માટે કામ કરી રહી […]

National

‘બજેટ’ એટલે શું?? આ શબ્દના અર્થ પાછળ છે રસપ્રદ ઈતિહાસ

વર્ષ ૨૦૨૫-૨૬ માટે નાણામંત્રી ર્નિમલા સીતારામન દ્વારા રાજકોષીય ખાધ ધરાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો આવક કરતા જાવક વધી જાય ત્યારે ખાધ ઊભી થાય છે. નાણામંત્રી સીતારામને વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ ૧૬.૧૩ લાખ કરોડ રૂપિયાની રાજકોષીય ખાધનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આર્થિક જાણકારોના મતે ખાધવાળું બજેટ રજૂ કરવાનો મોટો ફાયદો […]

National

‘વિકસિત ભારત‘ના રોડમેપની બ્લુપ્રિન્ટ રજૂ કરતા કેન્દ્રીય બજેટના ૧૫ મુખ્ય મુદ્દાઓ

રવિવારે કેન્દ્રીય નાણાંમંત્રી ર્નિમલા સીતારમણે સંસદમા બજેટ ૨૦૨૬ રજૂ કરીને ‘વિકસિત ભારત‘ના રોડમેપની બ્લુપ્રિન્ટ રજૂ કરી છે. સંરક્ષણથી લઈને સામાન્ય માણસના ખિસ્સા સુધી અસર કરતા આ બજેટની સૌથી મહત્ત્વની ૧૫ બાબતો નીચે મુજબ છે. ૧. કેન્સરની દવાઓ થશે સસ્તી: કેન્સરની ૧૭ અને અન્ય ૭ દુર્લભ બીમારીઓની દવાઓ પરથી આયાત ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે, […]

National

નાણામંત્રી ર્નિમલા સીતારમણ દ્વારા સંસદમા વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજુ કરવામાં આવ્યું

નાણામંત્રી ર્નિમલા સીતારમણ તેમનું સતત નવમું બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ૨૦૧૯માં તેમના પહેલા બજેટમાં, સીતારામણે દાયકાઓ જૂના ચામડાના સૂટકેશને લાલ કાપડમાં લપેટેલા પરંપરાગત ‘વહી-ખાતા‘માં બદલી નાખ્યું હતું. છેલ્લા ચાર વર્ષની જેમ આ વર્ષનું બજેટ પણ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યુ હતું. નાણામંત્રી ર્નિમલા સીતારમણે રવિવારે લોકસભામાં લગભગ દોઢ કલાક લાંબા ભાષણમાં […]