ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ગ્રોસરી પ્લેટફોર્મ ‘‘બિગ બાસ્કેટ‘‘ સાથે છેતરપિંડી આચરવા અને કંપનીના ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં રહેતા અને બિગ બાસ્કેટ (ટાટા એન્ટરપ્રાઈઝ) માં છેલ્લા બે વર્ષથી રીજનલ મેનેજર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ નારણભાઈ દેસાઈએ આ અંગે ફરિયાદ આપી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે […]
Author: JKJGS
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે સમીક્ષા બેઠક
આગામી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ-થરાદ ખાતે યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગરીમામય ઉપસ્થિતિ આપશે. આ મહત્ત્વપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા માટે વાવ-થરાદ જિલ્લામાં વ્યાપક આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે, વાવ-થરાદ જિલ્લાના પ્રભારી સચિવ નાગરાજનના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, થરાદ ખાતે સમીક્ષા […]
પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ બન્યું સોલારયુક્ત
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલું રૂપપુરા ગામ હવે વીજબિલની ચિંતામાંથી મુક્ત બન્યું છે. આ ગામ સંપૂર્ણપણે સોલાર ઊર્જાથી સજ્જ બન્યું છે, જ્યાં મોટાભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલથી ગ્રામજનોને વીજબિલ ભરવું પડતું નથી, પરંતુ ઊલટાનું નાણાકીય બચત પણ થઈ રહી છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે, શરૂઆતમાં વીજ અધિકારીઓ અને સોલાર […]
માંગરોળ ડ્રગ્સ કેસમાં એક વર્ષથી ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો
જૂનાગઢ જિલ્લામાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડવા અને યુવાધનને બચાવવા માટે પોલીસ સતત એક્શન મોડમાં છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમને મોટી સફળતા મળી છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સમદ ઉર્ફે સહદાબ મહમુદ શેખ મહારાષ્ટ્રના નવી મુંબઈથી ઝડપાયો છે. આ આરોપી 23.99 ગ્રામ મેફેડ્રોન […]
બાગાયત અને એગ્રી-બિઝનેસના 74 વિદ્યાર્થીઓને ગોલ્ડ-સિલ્વર મેડલથી સન્માનિત
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આજે 21મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં કૃષિ, બાગાયત અને એગ્રી-બિઝનેસ જેવી વિવિધ વિદ્યાશાખાના 74 વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 74 ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપી સન્માનિત કરાયા હતા તો અન્ય 578 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે ત્યારે જ કૃષિ ઉત્પાદનમાં સાચો વધારો શક્ય રાજ્યપાલ […]
લગ્નમાં ગયેલા પરિવારના બંધ ઘરમાં 9.50 લાખની ચોરી
ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં આવેલા ઈનાયા બિલ્ડીંગમાં રહેતા અને સ્ક્રેપનો વ્યવસાય કરતા મહમદ આસીફ અબ્દુલગની ફતાણીએ 20 જાન્યુઆરીના રોજ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 9ના રોજ તેઓ પરિવાર સાથે વડોદરા લગ્ન પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તેમના બંધ ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં તથા રોકડ મળી કુલ રૂ. 9.50 લાખની ચોરી થઈ […]
કચ્છના માંડવીમાં જામનગર NCCના 594 કેડેટ્સ પેરાસેલિંગ
કચ્છના માંડવી ખાતે 14 થી 23 જાન્યુઆરી, 2026 દરમિયાન આયોજિત રાજ્યકક્ષાના સંયુક્ત વાર્ષિક કેમ્પમાં જામનગર એનસીસી ગ્રુપના 594 આર્મી અને નેવી કેડેટ્સ પેરાસેલિંગની તાલીમ લઈ રહ્યા છે. 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત આ સાહસિક તાલીમનો ઉદ્દેશ્ય કેડેટ્સમાં નેતૃત્વ, ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવાનો છે. ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી (સેવાનિવૃત્ત) ગ્રુપ […]
જામનગરની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ, ફાયરે અન્યને બચાવ્યા
જામનગરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં આવેલી ‘પેટ પેલેસ’ નામની પેટ શોપમાં રાત્રિના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં એક ડોગ અને ચાર પક્ષીઓના ગૂંગળામણથી મૃત્યુ થયા હતા. દુકાનના માલિક હરેશ ગોસ્વામી દુકાન બંધ કરીને ઘરે ગયા બાદ આ આગ લાગી હતી. તેમને જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જામનગર […]
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ઓ‘રોમિયો‘નું ટ્રેલર રિલીઝ થયું
યુટ્યુબ પર રાજ કર્યા પછી રાહુલ દેશપાંડે શાહિદ કપૂરની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ઓ‘રોમિયોનું ટ્રેલર બુધવાર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ થયું હતું. ટ્રેલર રિલીઝ થયા પછીથી જ દર્શકો તરફથી પ્રશંસા મળી છે. શાહિદ કપૂરના અભિનયથી લઈને અવિનાશ તિવારીના રૂપાંતર સુધી, ચાહકોએ ૩ મિનિટ અને […]
સૂર્યકુમાર યાદવ T20 માં મોટી સિદ્ધિ હાંસલ કરનાર ચોથો ભારતીય ક્રિકેટર બન્યો
નાગપુરના VCA સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ્૨૦ૈં પહેલા ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવને તેના ફોર્મ અંગે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો. જાેકે, મુંબઈના આ બેટ્સમેનને કોઈ ચિંતા ન હતી, તેમણે કહ્યું કે તે નેટમાં સારી બેટિંગ કરી રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં સતત સફળતા મેળવી રહેલા પોતાના અભિગમમાં ફેરફાર કરવાનો તેનો કોઈ ઇરાદો નથી. તેણે […]










